Site icon

NCP Sharad Pawar: NCPના નવા પ્રમુખ કોણ? અજિત પવાર કે સુપ્રિયા સુળે? આજે મળનારી બેઠકમાં લેવાશે નિર્ણય…

Jayant Patil, Ajit Pawar and Supriya Sule vie for 'CM's post' on posters in Maharashtra

NCP Sharad Pawar: NCPના નવા પ્રમુખ કોણ? અજિત પવાર કે સુપ્રિયા સુળે? આજે મળનારી બેઠકમાં લેવાશે નિર્ણય…

 

NCP પાર્ટી છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોમાં છે. શરદ પવારે નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ હવે પાર્ટીના અધ્યક્ષ કોણ હશે તેની ચર્ચાઓ ચાલી રહી છે. પ્રમુખપદનું પરિણામ   5 મેના એટલે કે આજે જાહેર કરવામાં આવશે. આ માટે સવારે 11 વાગ્યે NCP પાર્ટીની બેઠક યોજાશે.

Join Our WhatsApp Community

મંગળવાર, 2 મે, 2023 ના રોજ, NCP વડા શરદ પવારે અચાનક તેમની નિવૃત્તિની જાહેરાત કરી. આ બાબત અત્યંત અણધારી હોવાથી રાજ્યના સમગ્ર રાજકીય વર્તુળોમાંથી આ નિર્ણયની પ્રતિક્રિયા જોવા મળી.

શરદ પવારને રાજીનામું પાછું ખેંચવા માટે ઘણા નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરો આક્રમક બન્યા છે. કેટલાક કાર્યકરોએ ઘરણા શરૂ કર્યા છે, જ્યારે કેટલાક અધિકારીઓ અને કાર્યકર્તાઓએ પોતાના લોહીથી શરદ પવારને પત્ર લખીને રાજીનામું પાછું ખેંચવા વિનંતી કરી છે. આ તમામ કાર્યકર્તાઓને સમજાવવા શરદ પવાર પોતે યશવંતરાવ ચવ્હાણ સેન્ટરની બહાર આવ્યા અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે તેમની સાથે વાતચીત કરતા કહ્યું, ‘હું તમારી લાગણીનું સન્માન કરું છું.’

દાદાને છોડીને તાઈના હાથમાં સત્તા?

શરદ પવાર પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કોણ સંભાળશે તેની ચર્ચાઓ ચાલી રહી હતી. અજિત પવાર, સુપ્રિયા સુલે, જયંત પવાર અને પ્રફુલ પટેલના ચાર નામોની ચર્ચા ચાલી રહી હતી ત્યારે બુધવાર 3જી મેની સવારથી સુપ્રિયા સુલેના નામની ચર્ચા વધુ થવા લાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે શરદ પવાર અને અજિત પવાર વચ્ચે ચર્ચા થઈ હતી. હવે સુપ્રિયા તાઈના નામ પર મહોર લાગશે કે પછી આ પ્રમુખપદની રેસ શું નવો વળાંક લેશે તેના પર સમગ્ર મહારાષ્ટ્રનું ધ્યાન ટકેલું છે.

તેમજ છગન ભુજબળે રાજ્યમાં અજિત પવાર અને કેન્દ્રમાં સુપ્રિયા સુલેનું સમીકરણ રજૂ કર્યું છે. આથી તમામનું ધ્યાન આજે 5 મે શુક્રવારે મળનારી બેઠક પર છે.

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version