Site icon News Continuous Bureau | Mumbai

2019માં ફડણવીસ-અજિત પવારના શપથમાં આ દિગ્ગજ નેતાનો હતો હાથ! બીજેપી નેતાએ કર્યો ચોંકાવનારો આક્ષેપ

મહારાષ્ટ્રના ઈતિહાસમાં જ્યારે પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શપથ સમારોહ પર ચર્ચા થાય છે, ત્યારે વર્ષ 2019માં વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર દ્વારા વહેલી સવારે લેવામાં આવેલ શપથ સમારોહની ચર્ચા ચોક્કસ થાય છે.

‘It helped end Prez rule’: Sharad Pawar’s hint on 2019 Fadnavis-Ajit Pawar plan

NCP સુપ્રીમો શરદ પવારનો મોટો ખુલાસો કહ્યું ‘વહેલી સવારે થઇ શપથવિધિ અને રાષ્ટ્રપતિ શાસન હટ્યું’

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ઈતિહાસમાં જ્યારે પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શપથ સમારોહ પર ચર્ચા થાય છે, ત્યારે વર્ષ 2019માં વહેલી સવારે દેવેન્દ્ર ફડણવીસ ( Devendra fadnavis ) અને અજિત પવાર ( ajit pawar ) દ્વારા વહેલી સવારે લેવામાં આવેલ શપથ સમારોહની ( swearing ceremony ) ચર્ચા ચોક્કસ થાય છે. દરમિયાન મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ હવે તે ગઠબંધન સરકારના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે આ ગઠબંધન સરકારની રચના અને તેને તોડી પાડવા પાછળ શરદ પવારનો ( Sharad Pawar ) હાથ હતો.

Join Our WhatsApp Channel

શરદ પવાર ગઠબંધનને મંજૂરી આપી હતી

હાલ નાગપુરમાં મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન પત્રકારો સાથેની અનૌપચારિક ચર્ચામાં એક નેતાએ આશ્ચર્યજનક દાવા કર્યા હતા. તેમણે કહ્યું કે શરદ પવારે જ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની ગઠબંધન સરકારને માન્યતા આપી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ પોતાની જીદ પકડી હતી. જે બાદ અમે (ભાજપ નેતાઓ) વિકલ્પ પર વિચાર કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન શરદ પવાર દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ત્યાં ભાજપ-રાષ્ટ્રવાદી ગઠબંધનની ચર્ચા થઈ અને શરદ પવારે ભાજપને સમર્થન આપવાનું સ્વીકાર્યું.

દિલ્હીમાં ગઠબંધન નક્કી થયાના બે-ત્રણ દિવસ પછી શરદ પવારે અજિત પવારને શપથ લેવા રાજભવન મોકલ્યા. તેમણે બીજેપી નેતાને ફોન કરીને કહ્યું કે તેઓ અજિત પવારને મોકલી રહ્યા છે, તેમની સાથે વધુ ચર્ચા કરો. આ પછી 23 નવેમ્બર, 2019 ના રોજ ભાજપ-એનસીપી ગઠબંધન સરકારની શપથ સમારોહ યોજાયો હતો. પરંતુ શરદ પવારના મનમાં કંઈક બીજું હતું. તેમણે પાસા ફેરવી દીધા, જેના કારણે નવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રાજીનામું આપવું પડ્યું. જેમાં પાર્ટી અને નેતાઓની ઘણી બદનામી થઈ હતી. આ નેતાએ દાવો કર્યો હતો કે આ શપથ વિધિથી શરદ પવાર અને તેમની એનસીપીનો બાર્ગેનિંગ પાવર વધી ગયો. નેતાએ આક્ષેપ કર્યો હતો કે આ ઘટનાના પરિણામે એનસીપીને મહત્તમ મંત્રીપદ અને સરકાર પર નિયંત્રણ મળ્યું, જે તેને ભાજપ સાથે ગઠબંધનમાં ન મળત.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈગરાઓની ચિંતા વધી! વિદેશથી પરત આવેલ આટલા મુસાફર કોરોના પોઝિટિવ.. મુંબઈ મહાનગરપાલિકા એલેર્ટ

અમિત શાહે ફટકાર લગાવી

બીજેપી નેતાએ કહ્યું કે અમારી સંખ્યા 105 પર અટકી ગઈ, જેના કારણે શિવસેનાનો બાર્ગેનિંગ પાવર વધી ગયો. આ પછી પણ ઉદ્ધવ ઠાકરે આવો ચોંકાવનારો નિર્ણય લેશે એવી અમને અપેક્ષા નહોતી. અમે ચિંતામુક્ત હતા, જ્યારે સંજય રાઉતે ચૂંટણી પરિણામો આવ્યા પછી સાંજે પ્રેસ કોન્ફરન્સમાં એક ચોંકાવનારું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે શિવસેનાને અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાન પદ આપ્યું છે. તે જ સમયે, દિલ્હીથી અમિત શાહે અમને ચેતવણી આપી હતી કે ઉદ્ધવ ઠાકરે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ, અમે ખાતરી આપી કે અમને ઉદ્ધવ ઠાકરેમાં પૂરો વિશ્વાસ છે. પરંતુ, અમિત શાહની વાત સાચી સાબિત થઈ, જેના કારણે અમારે ગાળો પણ સાંભળવી પડી.

ઓપરેશન કમલ કેવી રીતે સફળ થયું?

શિવસેના-ભાજપ ગઠબંધનથી એકનાથ શિંદે અને અમારા સારા સંબંધો હતા. મહાવિકાસ આઘાડીમાં એવી ચર્ચા હતી કે શિંદેને મુખ્યમંત્રી પદ મળશે. પરંતુ શરદ પવારે તેમનું પત્તું કાપી નાખ્યું. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા. આ જોઈને શિંદે કંઈક અંશે નારાજ થઈ ગયા. અમે આ નારાજગીને ધ્યાનમાં લઈને વ્યૂહરચના પર કામ કરવાનું શરૂ કર્યું. કોઈપણ નેતાને આની સહેજ પણ જાણકારી નહોતી. અમને ફક્ત 29 ધારાસભ્યોની જરૂર હતી કારણ કે જૂથના નેતા અમારી સાથે હતા. આ જોતાં અમે ધાર્યા કરતાં વધુ ધારાસભ્યોને તોડવામાં સફળ રહ્યા. તેમણે ધાર્યું હતું કે કયો ધારાસભ્ય તૂટશે, પરંતુ અમે શું કરવાના છીએ તે અંગે કોઈ નેતાને અનુમાન લગાવવા દીધું ન હતું. હવે શિવસેનાના બે તૃતીયાંશ ધારાસભ્યો શિંદેની સાથે છે, કોઈ કાયદાકીય અડચણ નહીં આવે.

આ રીતે શિંદેને મુખ્યમંત્રી પદ મળ્યું

ગદ્દારી કરનારાઓને પાઠ ભણાવો, આ ઉદ્દેશય સાથે અમે ગેરકાયદેસર સરકારને ઉથલાવી નાખી. બદલો પૂરો થયો અને રાજકીય જીવન જોખમમાં મુકીને આવેલા ધારાસભ્યોને ન્યાય મળે એ માટે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આ વિષય વિશે માત્ર એકનાથ શિંદે જ જાણતા હતા. આ સમગ્ર ઓપરેશનમાં અમિત શાહ માર્ગદર્શકની ભૂમિકામાં હતા.

આ સમાચાર પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું ૧૦૦ વર્ષની વયે નિધન, વહેલી સવારે લીધા અંતિમ શ્વાસ…

Suvendu Adhikari West Bengal CM| બંગાળમાં નવા યુગની શરૂઆત શુભેન્દુ અધિકારીએ લીધા CM પદના શપથ; PM મોદીએ સ્ટેજ પરથી જનતાને કર્યા ‘દંડવત પ્રણામ’
Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Petrol Diesel Price Hike 2026| પેટ્રોલડીઝલ મોંઘા થવાના સંકેત! તેલ કંપનીઓને દરરોજ ૧૦૦૦ કરોડનું નુકસાન, જાણો કેમ ૧૫ મે પહેલા તમારા ખિસ્સા પર પડશે બોજ
Maharashtra SSC Result 2026।શું મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ મરાઠી ભૂલી રહ્યા છે? SSC બોર્ડમાં ૮૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માતૃભાષામાં નાપાસ; શિક્ષણશાસ્ત્રીઓએ વ્યક્ત કરી ચિંતા
Exit mobile version