કોરોનાકાળ દરમિયાન ખોરાકની અછતને કારણે ગરીબ અને જરૂરીયાતમંદોને મુશ્કેલી વેઠવી ન પડે તે માટે મહારાષ્ટ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે
રાજ્ય સરકારે મફત શિવભોજન થાળી ના વિતરણની મુદત એક મહિના સુધી વધારી દીધી છે.
એટલે કે ગરીબ અને જરૂરિયાત મંદ લોકો હવે 14 જુલાઈ સુધી મફતમાં શિવ ભોજન થાળીનો લાભ લઈ શકશે.
ઉલ્લેખનીય છે કે શિવભોજન થાળી 15 મી એપ્રિલે વિના મૂલ્યે આપવામાં આવી રહી છે. રાજ્યમાં શિવ ભોજનનાં કુલ ૯૫૦ કેન્દ્રો છે.
