Site icon News Continuous Bureau | Mumbai

સાંસદ સંજય રાઉત આજે 4 વાગે ફોડશે બોમ્બ, શિવસેના ભવનની બહાર લાગ્યા ‘આ’ બેનરો, હજારો શિવસૈનિકો મુંબઈ પહોંચ્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

15 ફેબ્રુઆરી, 2022

Join Our WhatsApp Channel

મંગળવાર.

શિવસેનાના નેતા સાંસદ સંજય રાઉત આજે સાંજે 4 વાગ્યે શિવસેના ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે. સંજય રાઉતની આ પ્રેસ કોન્ફરન્સના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવવાની શક્યતા છે. આ પૃષ્ઠભૂમિમાં શિવસેના ભવનના પરિસરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. શિવસેના ભવનના પરિસરમાં 'ઝુકંગે નહીં'ના બેનરો લગાવાયા છે. શિવસેના ભવનની બહાર એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવી છે જેથી આ પ્રેસ કોન્ફરન્સ લાઈવ જોઈ શકાય. બીજી તરફ શિવસેના ભવનમાં પ્રેસ કોન્ફરન્સની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. 

શિવસેનાના તમામ પદાધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદોને આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. જેથી અહી મોટી ભીડ થવાની સંભાવના છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે શિવસેના ભવનના પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. સંજય રાઉત હાલમાં 'સામના'ની ઓફિસમાં છે. અહીંથી સંજય રાઉત શિવસેના ભવન આવે તેવી શક્યતા છે. આથી બંને જગ્યાએ મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, આટલા લોકોના ઘટનાસ્થળે જ નિપજ્યા મોત

સાંજે 4 વાગે મુંબઈમાં શિવસેના ભવનમાં પત્રકાર પરિષદ યોજાશે. આ પ્રેસ કોન્ફરન્સની પૃષ્ઠભૂમિમાં નાસિક અને ઉત્તર મહારાષ્ટ્રના નેતાઓ અને કાર્યકરોએ મુંબઈ તરફ આવી રહ્યા છે. શિવસૈનિકોએ જવાબ આપ્યો કે અમે સંજય રાઉતને સમર્થન આપવા મુંબઈ જઈ રહ્યા છીએ. આ શિવસૈનિકોમાં મોટી સંખ્યામાં મહિલાઓનો સમાવેશ થાય છે. રાજ્યના અન્ય ભાગોમાંથી પણ શિવસેનાના કાર્યકરો મુંબઈ પહોંચશે. તેથી આજે શિવસેના ભવનમાં શું થશે તેના પર સૌની નજર છે.

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે કડવાશ વધી રહી છે. હવે શિવસેનાએ ખુલ્લેઆમ ભાજપના નેતાઓને જેલમાં મોકલવાની ધમકી આપી છે. શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે આવનારા દિવસોમાં ભાજપના ઘણા નેતાઓ જેલમાં જશે. ઘણું સહન કર્યું, હવે પાર્ટી ભાજપને બરબાદ કરશે. આ મોટા નિવેદન બાદ દરેકના મનમાં સવાલો ઉઠવા લાગ્યા છે કે આખરે રાઉત શું ખુલાસો કરવા જઈ રહ્યા છે અને કયા નેતાઓ તેમના નિશાના પર છે.

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version