Site icon News Continuous Bureau | Mumbai

Shivaji Maharaj Statue Collapse: મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજની પ્રતિમા ધ્વસ્ત, 8 મહિના પહેલા જ PM મોદીએ કર્યું હતું અનાવરણ; વિપક્ષે સાધ્યું નિશાન.. 

 Shivaji Maharaj Statue Collapse:મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના માલવણ કિલ્લામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા સોમવારે ભારે પવનને કારણે તૂટી પડી હતી. ગયા વર્ષે (4 ડિસેમ્બર 2023) વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પ્રતિમા તૂટી પડ્યા બાદ વિપક્ષી પાર્ટીઓએ રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવ્યા છે.

Shivaji Maharaj Statue CollapseUnveiled 9 months ago, 35ft steel statue of Shivaji at Malvan fort collapses

Shivaji Maharaj Statue CollapseUnveiled 9 months ago, 35ft steel statue of Shivaji at Malvan fort collapses

News Continuous Bureau | Mumbai

Shivaji Maharaj Statue Collapse:મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં એક કિલ્લામાં સોમવારે (26 ઓગસ્ટ) મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા તૂટી પડી હતી. હવે આ અંગે રાજકીય હોબાળો શરૂ થયો છે. શિવસેના (UBT) એ મુખ્યમંત્રી એકનાથ શિંદેની સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે લોકસભા ચૂંટણીને કારણે ઉતાવળમાં પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેથી લોકોના મત મેળવી શકાય.

Join Our WhatsApp Channel

Shivaji Maharaj Statue Collapse: પ્રતિમા પડવા પાછળ કારણ શું 

સીએમ શિંદેએ કહ્યું, “જે ઘટના બની તે દુર્ભાગ્યપૂર્ણ છે. છત્રપતિ શિવાજી મહારાજ મહારાષ્ટ્રના આદરણીય દેવતા છે. આ પ્રતિમા નેવી દ્વારા બનાવવામાં આવી હતી. તેઓએ તેની ડિઝાઇન પણ બનાવી હતી, પરંતુ લગભગ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે તે પડી ગયું અને નુકસાન થયું. PWD અને નૌકાદળના અધિકારીઓ ઘટનાસ્થળની મુલાકાત લેવાના છે.

તેમણે કહ્યું, PWD અને નૌકાદળના અધિકારીઓ પ્રતિમા પડવા પાછળના કારણોની તપાસ કરશે. મને આ ઘટનાની જાણ થતાં જ મેં જાહેર બાંધકામ મંત્રી રવિન્દ્ર ચવ્હાણને ઘટનાસ્થળે મોકલ્યા. અમે આ ઘટના પાછળના કારણો શોધી કાઢીશું. મહારાષ્ટ્રના માનનીય છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તે જ જગ્યાએ ફરીથી સ્થાપિત કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચોઃ  Champai Soren:ઝારખંડમાં ભાજપને મોટો ફાયદો, ઝારખંડના પૂર્વ CM ચંપાઈ સોરેન ભાજપના રસ્તે..

Shivaji Maharaj Statue Collapse: કોન્ટ્રાક્ટર સામે FIR, કન્સલ્ટન્ટ સામે પણ કેસ નોંધાયો

સિંધુદુર્ગ પોલીસે શિવાજી મહારાજની પ્રતિમાને તોડી પાડવા અંગે કોન્ટ્રાક્ટર જયદીપ આપ્ટે અને સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલ વિરુદ્ધ FIR નોંધી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109, 110, 125, 318 અને 3(5) હેઠળ FIR નોંધવામાં આવી હતી. આસિસ્ટન્ટ એન્જિનિયર અને પીડબ્લ્યુડી ઓફિસર અજીત પાટીલે બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Shivaji Maharaj Statue Collapse: સમારકામ માટે નેવી ટીમ મોકલી 

ભારતીય નૌકાદળે 4 ડિસેમ્બર, 2023 ના રોજ નેવી ડે પર અનાવરણ કરાયેલી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના પતન પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. “નૌકાદળ, રાજ્ય સરકાર અને સંબંધિત નિષ્ણાતો સાથે મળીને, આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતના કારણની તાત્કાલિક તપાસ કરવા અને વહેલી તકે પ્રતિમાનું સમારકામ અને પુનઃસ્થાપન કરવા માટે એક ટીમની નિમણૂક કરી છે,” નેવીએ જણાવ્યું હતું. આ ટીમ આજે ઘટનાસ્થળે પહોંચી છે.

Gujarat Independence Day Celebration ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી રાજ્યભરમાં હાથ ધરાશે વ્યાપક સ્વચ્છતા અને વૃક્ષારોપણ અભિયાન
Supriya Sule NCP Sharad Pawar Statement “અસલી રાષ્ટ્રવાદી કોની?” સુપ્રિયા સુળેએ વિરોધીઓને આપ્યો જડબાતોડ જવાબ, પવાર સાહેબના વારસા પર કરી મોટી વાત
Nashik Earthquake મહારાષ્ટ્રના આ જિલ્લામાં વહેલી સવારે ભૂકંપના આંચકા; લોકોમાં ફફડાટ, ઘરોમાંથી બહાર દોડી આવ્યા
Chamoli Pipalkoti Tunnel Accident ચમોલીમાં THDC ટનલમાં 22 કામદારો અંદર હતા ને અચાનક કાદવપાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો; આટલા શ્રમિકોએ ગુમાવ્યો જીવ..
Exit mobile version