Site icon News Continuous Bureau | Mumbai

Shivneri Fort Stampede: શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ, કિલ્લા પર ભારે તણાવ..

પોલીસ બંદોબસ્ત ઓછો હોવાના આક્ષેપ સાથે ભક્તોમાં રોષ: લાખોની મેદની સામે વહીવટી તંત્રનું આયોજન નિષ્ફળ; સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

Shivneri Fort Stampede શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ

Shivneri Fort Stampede શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ

News Continuous Bureau | Mumbai
Shivneri Fort Stampede છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૬મી જન્મજયંતી નિમિત્તે શિવનેરી કિલ્લા પર રાજ્યભરમાંથી લાખો શિવભક્તો શિવજ્યોત લઈને ઉમટી પડ્યા હતા. બુધવારે મધ્યરાત્રિથી જ કિલ્લાનો સમગ્ર વિસ્તાર ‘જય ભવાની, જય શિવાજી’ના નારાથી ગુંજી રહ્યો હતો. જોકે, ગઢ પર ક્ષમતા કરતા અનેકગણી વધુ ભીડ જમા થઈ ગઈ હતી, જેને નિયંત્રિત કરવામાં પોલીસ પ્રશાસન નિષ્ફળ રહ્યું હોવાનું પ્રાથમિક રીતે જણાય છે.કિલ્લાના અંબરખાના વિસ્તારમાં આવેલા હાથી દરવાજા અને ગણેશ દરવાજા જેવા સાંકડા માર્ગો પર જ્યારે હજારો લોકો એકસાથે આગળ વધ્યા, ત્યારે લોકો એકબીજા પર પડવા લાગ્યા હતા.

મધ્યરાત્રિએ સર્જાયો ચગરાચગરીનો થરાર

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, કિલ્લા પરથી નીચે ઉતરનારા લોકો અને ઉપર જનારા લોકો એકસાથે સાંકડા દરવાજામાં ફસાઈ ગયા હતા. આ દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં ૧૫ થી ૨૦ જેટલા લોકો નીચે પટકાતા ઘાયલ થયા છે. ઘાયલોમાં નાના બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તેમને તાત્કાલિક જુન્નરની સરકારી હોસ્પિટલ અને મંચરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તમામની પ્રકૃતિ સ્થિર હોવાનું જણાવાયું છે.

Join Our WhatsApp Channel

વહીવટી તંત્રના આયોજન પર ઉઠ્યા સવાલો

દર વર્ષે શિવજયંતી પર શિવનેરી કિલ્લા પર લાખો ભક્તો આવે છે, તેમ છતાં આ વર્ષે એન્ટ્રી અને એક્ઝિટ માટે યોગ્ય બેરિકેડિંગ કે પૂરતો પોલીસ કાફલો તૈનાત નહોતો, એવો આક્ષેપ સ્થાનિકો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે રોશની હોવા છતાં ભીડનું સંચાલન યોગ્ય રીતે ન થતા આ અપ્રિય ઘટના બની છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે ‘ક્રાઉડ મેનેજમેન્ટ’ માટે કાયમી વ્યવસ્થા ઉભી કરવાની માંગ ઉઠી છે.

આ સમાચાર પણ વાંચો : Middle East on the Brink: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધના ભણકારા! અમેરિકા અને ઈરાન વચ્ચે ગમે ત્યારે છેડાઈ શકે છે જંગ; જાણો દુનિયા પર શું થશે અસર.

ભક્તિ અને ઉત્સાહ વચ્ચે ભયનો માહોલ

દુર્ઘટના છતાં શિવભક્તોમાં ઉત્સાહ ઓછો થયો નથી. આજે સવારથી જ શિવજન્મોત્સવનો સોહળો ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે. કિલ્લાને લાઈટિંગથી શણગારવામાં આવ્યો છે. જોકે, આ ઘટનાને કારણે અનેક પરિવારોમાં ચિંતા પ્રસરી ગઈ હતી. વહીવટી તંત્ર હવે વધારાની કુમક બોલાવીને ભીડને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યું છે.

Malayalam actor leaves BJP રાજકીય સમીકરણો બદલાયા BJPને અલવિદા કહીને હવે વિજયની પાર્ટી TVKની કેરળ કમાન સંભાળશે આ દિગ્ગજ અભિનેતા?
Amravati hospital fire અમરાવતીની હોસ્પિટલમાં વેન્ટિલેટર ફાટવાથી ભીષણ આગ, 3 બાળકો ભભૂકતી આગનો ભોગ બન્યા
 Thane Telegram Scam – રોકાણના નામે ખેલ ખતમ! ટેલિગ્રામ પર વધુ નફાની લાલચમાં ફસાઈ યુવતી, ગુમાવ્યા લાખો રૂપિયા. 
Truck Driver Family Tragedy એક જીદ બની ગઈ મોતનું કારણ આઈફોનની લહાયમાં ટ્રક ડ્રાઇવરે ગુમાવ્યો પરિવાર, જાણો શું છે સમગ્ર ઘટના.
Exit mobile version