Site icon

ઉર્દૂ ભાષામાં ઉદ્ધવ ઠાકરેની સભાનું પોસ્ટર! સોશ્યલ મિડીયામાં બબાલ

ઉદ્ધવ ઠાકરે હાલ મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેમણે શિવસેનાના ઘણા ધારાસભ્યોના મતવિસ્તારમાં બેઠકો કરી રહ્યાં છે. ખેડ બાદ હવે માલેગાંવમાં ઉદ્ધવ ઠાકરેની સભા યોજાશે અને આ માટે લગાવવામાં આવેલા બેનરની ચર્ચા રાજકીય વર્તુળમાં થવા લાગી છે.

News Continuous Bureau | Mumbai

માલેગાંવમાં  ઉદ્ધવ ઠાકરેની સભા થવાની છે જેના માટે ઉર્દુ ભાષામાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પ્રબોધંકર ઠાકરે, બાળાસાહેબ ઠાકરે, આદિત્ય ઠાકરે, સંજય રાઉત, છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા ફુલે, ડૉ. બાબાસાહેબ આંબેડકરના પણ ફોટા છે.

Join Our WhatsApp Community

ઉર્દૂ ભાષામાં પોસ્ટરને કારણે ટીકા

ઉર્દૂ ભાષાના આ પોસ્ટરથી શિંદે-ફડણવીસ સરકારે ઠાકરે જૂથ પર નિશાન સાધ્યું છે. મંત્રી શંભુરાજ દેસાઈએ ટીકા કરી છે કે જો બાળાસાહેબ હોત તો આવા પોસ્ટર ન લાગ્યા હોત, તેમણે આ સહન ન કર્યું હોત. ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ આઘાડીની સરકારમાં હોવાથી તેમને આ બધું સહન કરવું પડે છે.

શિવસેનાના શીતલ મ્હાત્રેએ પણ આ અંગે ટ્વીટ કર્યું છે અને તેમણે ઠાકરે જૂથ પર નિશાન સાધ્યું છે.

 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version