Site icon News Continuous Bureau | Mumbai

મરાઠી માણુસ સમીર વાનખેડેના અંગત જીવન પર થઈ રહેલી ટીકાથી શિવસેના આ નેતાથી થઈ નારાજ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર  

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના અધિકારી સમીર વાનખેડેના અંગત જીવન પર કરવામાં આવેલા આરોપોને પગલે શિવસેના રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા અને મહાવિકાસ આઘાડીના લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકથી નારાજ થઈ ગઈ હોવાનું કહેવાય છે.

શિવસેનાના કહેવા મુજબ ડ્રગ્સ પ્રકરણમાં NCBની કાર્યવાહી સામે ટીકા કરવામાં કોઈ વાંધો નથી, પણ સમીર વાનખેડેના અંગત જીવનને આમાં ઘસડી લાવવાની જરૂર નહોતી. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે ડ્રગ્સ કેસમાં નવાબ મલિક શરૂઆતથી સક્રિય રહ્યા છે. લોકશાહીમાં બીજાની ટીકા કરવાનો અધિકાર તમામ લોકોને છે, પરંતુ કોઈ અધિકારીના અંગત જીવન પર પ્રહાર કરવો યોગ્ય નથી.

શિવસેનાએ ‘સામના’માં કેન્દ્ર સરકારની પણ ટીકા કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય એજેન્સીનો મહાવિકાસ આઘાડી સરકાર સામે કરવામાં આવી રહેલા ગેરઉપયોગ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય એજન્સી ભાજપની પોતાની માલિકીની નથી. લોકશાહીમાં માલિકો બદલાતા રહે છે એનું ભાન ભાજપે રાખવાની જરૂર હોવાનો કટાક્ષ પણ સેનાએ કર્યો છે.

Udhayanidhi Stalin ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત પર મદ્રાસ હાઇકોર્ટનો મોટો આદેશ પૂછપરછ પૂર્ણ થયા બાદ મુક્ત કરવા નિર્દેશ
Vasai wildlife trafficking racket કેરળથી મુંબઈ લાવવામાં આવતું હતું કરોડોનું કાળું સોનું વસઈ પોલીસે પર્દાફાશ કરી ઝડપ્યા ૫ આરોપીઓ..
DY Patil Passes Away રાજકારણ અને શિક્ષણ જગતને મોટી ખોટ પદ્મશ્રી ડી.વાય. પાટીલનું ૯૦ વર્ષની વયે નિધન, કોલ્હાપુરમાં શોકની લહેર
Loco Pilots Stop Train Save Lions રેલવે ટ્રેક પર અચાનક આવી પહોંચ્યા ૫ સિંહ, લોકો પાઈલટ્સે સમયસૂચકતા વાપરીને આ રીતે બચાવ્યા ની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના, રેલવે ટ્રેક પર આવી ગયેલા ૫ સિંહોનો જીવ બચાવ્યો, વીડિયો વાયરલ
Exit mobile version