Site icon News Continuous Bureau | Mumbai

મરાઠી માણુસ સમીર વાનખેડેના અંગત જીવન પર થઈ રહેલી ટીકાથી શિવસેના આ નેતાથી થઈ નારાજ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર  

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના અધિકારી સમીર વાનખેડેના અંગત જીવન પર કરવામાં આવેલા આરોપોને પગલે શિવસેના રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા અને મહાવિકાસ આઘાડીના લઘુમતી બાબતોના પ્રધાન નવાબ મલિકથી નારાજ થઈ ગઈ હોવાનું કહેવાય છે.

શિવસેનાના કહેવા મુજબ ડ્રગ્સ પ્રકરણમાં NCBની કાર્યવાહી સામે ટીકા કરવામાં કોઈ વાંધો નથી, પણ સમીર વાનખેડેના અંગત જીવનને આમાં ઘસડી લાવવાની જરૂર નહોતી. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે ડ્રગ્સ કેસમાં નવાબ મલિક શરૂઆતથી સક્રિય રહ્યા છે. લોકશાહીમાં બીજાની ટીકા કરવાનો અધિકાર તમામ લોકોને છે, પરંતુ કોઈ અધિકારીના અંગત જીવન પર પ્રહાર કરવો યોગ્ય નથી.

શિવસેનાએ ‘સામના’માં કેન્દ્ર સરકારની પણ ટીકા કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય એજેન્સીનો મહાવિકાસ આઘાડી સરકાર સામે કરવામાં આવી રહેલા ગેરઉપયોગ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.

કેન્દ્રીય એજન્સી ભાજપની પોતાની માલિકીની નથી. લોકશાહીમાં માલિકો બદલાતા રહે છે એનું ભાન ભાજપે રાખવાની જરૂર હોવાનો કટાક્ષ પણ સેનાએ કર્યો છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version