ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે.
ડોક્ટરોના જણાવ્યાનુસાર કલ્યાણ સિંહ ની તબિયત નાજુક છે, જોકે તેમની હાર્ટ બીટ અને બ્લડ પ્રેશર સામાન્ય છે
લખનઉના એસજીપીજીઆઇ, ક્રિટિકલ કેર મેડિસિન વિભાગના આઈસીયુ વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કલ્યાણસિંહના પુત્ર રાજવીરને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ કરી છે.
ઉલ્લેખનીય છે કે કલ્યાણ સિંહને રવિવારે બ્રેઇન સ્ટ્રોક અને હાર્ટ એટેક આવ્યા બાદ લખનઉની રામ મનોહર લોહિયામાં દાખલ કરવામાં આવ્યા હતા.
