Site icon

રાહુલ ગાંધી હાથરસની પીડિતાને ન્યાય અપાવવા માટે નહીં પરંતુ પોતાની રાજનીતિ ચમકાવવા જઈ રહ્યા છે..: સ્મૃતિ ઈરાની…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
03 ઓક્ટોબર 2020

ઉત્તર પ્રદેશના હાથરસની ઘટના અંગે દેશભરમાં રોષ વ્યાપ્યો છે. એવાં સમયે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ત્રણ દિવસમાં પીડિતાના પરિવારને બીજી વખત મળવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીની હાથરસ મુલાકાત પર જોરદાર નિશાન સાધ્યું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધી પીડિતના ન્યાય માટે નહીં પરંતુ રાજકારણ માટે હાથરસ જઈ રહ્યા હતાં. રાહુલ ગાંધીની હાથરસ મુલાકાતને ધ્યાનમાં રાખીને દિલ્હી-નોઈડા ડાયરેક્ટ ફ્લાય વે પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી..

Join Our WhatsApp Community

સમાચાર એજન્સી અનુસાર કેન્દ્રીય પ્રધાન અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જનતા કોંગ્રેસની રણનીતિથી વાકેફ છે … તેથી તેઓએ 2019 માં ભાજપનો વિજય સુનિશ્ચિત કર્યો. તેમણે કહ્યું હતું કે, લોકતાંત્રિક દેશમાં રાજકારણીઓ રોકી શકાતા નથી, પરંતુ લોકો સમજે છે કે તેમની હાથરસની મુલાકાત તેમના રાજકારણ માટે છે, પીડિતાને ન્યાય અપાવવા નહીં.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version