Site icon

રાહુલ ગાંધી હાથરસની પીડિતાને ન્યાય અપાવવા માટે નહીં પરંતુ પોતાની રાજનીતિ ચમકાવવા જઈ રહ્યા છે..: સ્મૃતિ ઈરાની…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
03 ઓક્ટોબર 2020

ઉત્તર પ્રદેશના હાથરસની ઘટના અંગે દેશભરમાં રોષ વ્યાપ્યો છે. એવાં સમયે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ત્રણ દિવસમાં પીડિતાના પરિવારને બીજી વખત મળવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીની હાથરસ મુલાકાત પર જોરદાર નિશાન સાધ્યું છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધી પીડિતના ન્યાય માટે નહીં પરંતુ રાજકારણ માટે હાથરસ જઈ રહ્યા હતાં. રાહુલ ગાંધીની હાથરસ મુલાકાતને ધ્યાનમાં રાખીને દિલ્હી-નોઈડા ડાયરેક્ટ ફ્લાય વે પર સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી..

Join Our WhatsApp Community

સમાચાર એજન્સી અનુસાર કેન્દ્રીય પ્રધાન અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, જનતા કોંગ્રેસની રણનીતિથી વાકેફ છે … તેથી તેઓએ 2019 માં ભાજપનો વિજય સુનિશ્ચિત કર્યો. તેમણે કહ્યું હતું કે, લોકતાંત્રિક દેશમાં રાજકારણીઓ રોકી શકાતા નથી, પરંતુ લોકો સમજે છે કે તેમની હાથરસની મુલાકાત તેમના રાજકારણ માટે છે, પીડિતાને ન્યાય અપાવવા નહીં.

Chhatrapati Sambhajinagar Election 2026: છત્રપતિ સંભાજીનગર ચૂંટણીમાં ‘વોટ’ માટે ‘નોટ’ની પોટલી? અંબાદાસ દાનવેએ પોલીસ અને ભાજપના ગઠબંધન પર ઉઠાવ્યા સવાલ, જાણો શું છે મામલો.
Maharashtra: મહારાષ્ટ્રમાં કુદરતનો બેવડો મિજાજ! પુણેમાં ગરમી વધશે, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આફત; જાણો હવામાન વિભાગની નવી આગાહી
BMC Election: મહારાષ્ટ્રમાં મતદાન કરવા જઈ રહ્યા છો? એક ક્લિક પર જાણો તમારું મતદાન મથક અને મતદાર યાદીમાં તમારું નામ
Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Exit mobile version