Site icon News Continuous Bureau | Mumbai

રાજ્યસભામાં ધાંધલ-ધમાલ કરનારા સાંસદો સામે પગલાં લેવા સમિતિની રચના થઈ શકે છે: સૂત્રો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

રાજ્યસભામાં હંગામો કરનારા સદસ્યો વિરૂદ્ધ કાર્યવાહી માટે સત્તારૂઢ ગઠબંધન અને વિપક્ષના સાંસદોની એક સમિતિ બનાવવામાં આવી શકે છે. 

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આશરે 7થી 9 જેટલા વરિષ્ઠ સદસ્યો આ સમિતિનો હિસ્સો બની શકે છે. એક મહિનાની અંદર તેમને પોતાનો રિપોર્ટ અને ભલામણો આપવા માટે કહેવામાં આવી શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે સરકાર તે સાંસદો પર આકરી કાર્યવાહી કરવા ઈચ્છે છે જેમણે ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં હંગામો કર્યો.

આ પ્રકારના વિક્ષેપના કારણે આશરે 130 કરોડ રૂપિયા કરતા વધારેનું નુકસાન થયું છે. રવિવારે સરકારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, જે રાજ્યસભાના સભાપતિ પણ છે તેમને એક લેખિત ફરિયાદ મોકલી હતી જેમાં સાંસદોનું નામ લખવામાં આવ્યું હતું.

રાજ કુંદ્રાને બોમ્બે હાઇકોર્ટ તરફથી મળી મોટી રાહત, આ તારીખે જામીન અરજી પર થશે સુનાવણી

Uddhav Thackeray PM Modi meeting criticism સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે ને ત્યાં મુલાકાતોનો દોર શરૂ! ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર અને શિંદે જૂથને ઘેર્યા
Malshej Ghat Kalu Waterfall Selfie Rescue માલશેજ ઘાટના કાળુ ધોધ પર સેલ્ફી લેતી વખતે યુવકનો લપસ્યો પગ, પ્રવાસીઓએ આ રીતે બચાવ્યો જીવ
Eknath Shinde Narendra Modi Meeting વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા, દિલ્હીમાં બેઠક અંગે આપ્યું મોટું નિવેદન
Delimitation Bill Tamil Nadu Controversy દક્ષિણ ભારતની સીટો ઘટવાનો ડર! DMK અને વિપક્ષી નેતાઓ લાલઘૂમ, કેન્દ્ર સામે આક્રમક વલણ!
Exit mobile version