Site icon

ખાનગી શાળાઓની ફીના નિયમન માટે હવે મહારાષ્ટ્ર સરકાર ભરશે આ મોટું પગલું; વિધાનસભામાં લાવશે ખરડો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

રાજ્યમાં ખાનગી શાળાની ફીના મુદ્દે અને કોરોના સમયગાળા દરમિયાન વાલીઓને થતી અસુવિધા અંગે શિક્ષણ વિભાગને અનેક ફરિયાદો મળી રહી છે. રાજ્ય સરકાર ફી અંગે અવારનવાર ફરિયાદો જોઇને ટૂંક સમયમાં જ આ અંગે વટહુકમ બહાર પાડવાની તૈયારી કરી રહી છે. એવું કહેવામાં આવે છે કે જો ફી અંગે વટહુકમ બહાર પાડવામાં આવે તો રાજ્યમાં ફીના મુદ્દાથી છૂટકારો મેળવવામાં મદદ મળશે અને ફીના મુદ્દે વાલીઓને પણ રાહત થશે.

રાજ્યમાં સ્કૂલની ફીમાં થયેલા વધારા, શાળાઓની મનમાની, ફી ન ભરવા અને વાલીઓના આંદોલનને કારણે વિદ્યાર્થીઓને નલાઇન લેકચરમાંથી બહાર કાઢી મૂકવા અને વાલીઓની વારંવાર ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવા જઈ રહી છે. રાજ્ય સરકારે મહારાષ્ટ્ર શૈક્ષણિક સંસ્થાઓ (ફી નિયમન અધિનિયમ)માં કેટલાક ફેરફાર કરીને વટહુકમ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. આ અંગે આગામી કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. તેવી માહિતી રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે એક મીડિયા હાઉસને આપી હતી.

સતત ભારત વિરોધી બયાન આપનાર પીએમ ઓલીના કાર્યકાળનો થશે અંત,નેપાળની સુપ્રીમ કોર્ટે આપ્યા આ આદેશ  ; જાણો હવે કોણ બનશે નવા વડાપ્રધાન

જોકે, રાજ્ય સરકાર ફી નિયમન કાયદામાં કેટલાક ફેરફાર સાથે વટહુકમ લાવી તો રહી છે, પરંતુ હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે સૂચિત વટહુકમ સરકારને શાળાઓને ફી વસૂલવાનો કે ફી માફ કરવાનો આદેશ આપવાનો અધિકાર આપશે કે નહીં. આ સંદર્ભે વટહુકમની માંગણી કરી રહેલા વાલીઓ તેને સકારાત્મકતાથી જોઈ રહ્યા છે.

રાજ્યને સમજાયું છે કે ખાનગી શાળાના વિદ્યાર્થીઓની ફીનું નિયમન કરવાનો કાનૂની અધિકાર રાજ્ય પાસે નથી. તેથી, રાજ્ય સરકારે આમાં ફેરફાર કરવાની જરૂરિયાત ધ્યાનમાં લીધી છે. આ હેતુ માટે મહારાષ્ટ્ર શિક્ષણ ફી નિયમન અધિનિયમ સમિતિની પણ રચના કરવામાં આવી હતી. તેમ છતાં, માતાપિતાની ફરિયાદો બંધ ન થતા આ સંદર્ભે એક મોટું પગલું લેવાની જરૂર છે.

Jay Pawar: જય પવારનો સરકારને લલકાર! પિતાના નિધન પાછળના ‘બ્લેક બોક્સ’ સત્ય માટે કરી આ મોટી અપીલ, જાણો શું છે મામલો
Shivneri Fort Stampede: શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ, કિલ્લા પર ભારે તણાવ..
Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.
Exit mobile version