Site icon News Continuous Bureau | Mumbai

ખાનગી શાળાઓની ફીના નિયમન માટે હવે મહારાષ્ટ્ર સરકાર ભરશે આ મોટું પગલું; વિધાનસભામાં લાવશે ખરડો, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

રાજ્યમાં ખાનગી શાળાની ફીના મુદ્દે અને કોરોના સમયગાળા દરમિયાન વાલીઓને થતી અસુવિધા અંગે શિક્ષણ વિભાગને અનેક ફરિયાદો મળી રહી છે. રાજ્ય સરકાર ફી અંગે અવારનવાર ફરિયાદો જોઇને ટૂંક સમયમાં જ આ અંગે વટહુકમ બહાર પાડવાની તૈયારી કરી રહી છે. એવું કહેવામાં આવે છે કે જો ફી અંગે વટહુકમ બહાર પાડવામાં આવે તો રાજ્યમાં ફીના મુદ્દાથી છૂટકારો મેળવવામાં મદદ મળશે અને ફીના મુદ્દે વાલીઓને પણ રાહત થશે.

રાજ્યમાં સ્કૂલની ફીમાં થયેલા વધારા, શાળાઓની મનમાની, ફી ન ભરવા અને વાલીઓના આંદોલનને કારણે વિદ્યાર્થીઓને નલાઇન લેકચરમાંથી બહાર કાઢી મૂકવા અને વાલીઓની વારંવાર ફરિયાદોને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવા જઈ રહી છે. રાજ્ય સરકારે મહારાષ્ટ્ર શૈક્ષણિક સંસ્થાઓ (ફી નિયમન અધિનિયમ)માં કેટલાક ફેરફાર કરીને વટહુકમ બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. આ અંગે આગામી કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. તેવી માહિતી રાજ્યના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે એક મીડિયા હાઉસને આપી હતી.

સતત ભારત વિરોધી બયાન આપનાર પીએમ ઓલીના કાર્યકાળનો થશે અંત,નેપાળની સુપ્રીમ કોર્ટે આપ્યા આ આદેશ  ; જાણો હવે કોણ બનશે નવા વડાપ્રધાન

જોકે, રાજ્ય સરકાર ફી નિયમન કાયદામાં કેટલાક ફેરફાર સાથે વટહુકમ લાવી તો રહી છે, પરંતુ હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે સૂચિત વટહુકમ સરકારને શાળાઓને ફી વસૂલવાનો કે ફી માફ કરવાનો આદેશ આપવાનો અધિકાર આપશે કે નહીં. આ સંદર્ભે વટહુકમની માંગણી કરી રહેલા વાલીઓ તેને સકારાત્મકતાથી જોઈ રહ્યા છે.

રાજ્યને સમજાયું છે કે ખાનગી શાળાના વિદ્યાર્થીઓની ફીનું નિયમન કરવાનો કાનૂની અધિકાર રાજ્ય પાસે નથી. તેથી, રાજ્ય સરકારે આમાં ફેરફાર કરવાની જરૂરિયાત ધ્યાનમાં લીધી છે. આ હેતુ માટે મહારાષ્ટ્ર શિક્ષણ ફી નિયમન અધિનિયમ સમિતિની પણ રચના કરવામાં આવી હતી. તેમ છતાં, માતાપિતાની ફરિયાદો બંધ ન થતા આ સંદર્ભે એક મોટું પગલું લેવાની જરૂર છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version