Site icon

શાહરૂખના દીકરાને ઝડપનાર NCBના ઓફિસર સમીર વાનખેડેની રાજ્ય સરકાર આ કારણથી ધરપકડ કરી શકશે નહીં. જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 29 ઓક્ટોબર, 2021.
શુક્રવાર. 
ક્રુઝ ડ્રગ્સ પ્રકરણમાં વિવાદોથી ઘેરાઈ ગયેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના  મુંબઈના ઝોનલ ઓફિસર સમીર વાનખેડેને રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે તેમની અરજી પર સુનાવણી દરમિયાન તેમની સામે તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી નહીં કરવાનો આદેશ આપ્યો છે. સમીર વાનખેડેએ કોર્ટમાં એક અરજી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે સમીર વાનખેડે વિરુદ્ધ કોઈ સખત કાર્યવાહી કરવામાં ન આવે.
સમીર વાનખેડે પહેલા સેશન્સ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારની કાર્યવાહી સામે ગયા હતા. પરંતુ આર્યનનો કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો હોવાથી સેશન્સ કોર્ટે કોઈપણ વચગાળાની રાહત આપવાની મનાઈ કરી હતી. ત્યારબાદ ગુરુવારે સમીર વાનખેડેએ હાઈકોર્ટમાં વચગાળાની રાહત માગતી અરજી કરી હતી. સમીર વાનખેડેએ અરજીમાં કહ્યું હતું કે જો તેમની તપાસ કરવામાં આવે તો તે સીબીઆઈને સોંપવામાં આવે. તેમજ તેમણે પોતાની ધરપકડની પણ શંકા વ્યક્ત કરી હતી. તેની સામે રાહત આપવાની માગણી પણ તેમણે કરી હતી.

શું સમેટાઇ રહ્યું છે ખેડૂત આંદોલન? ટિકરી બાદ હવે આ બોર્ડર પર લગાવેલા બેરિકેડ્સ દિલ્હી પોલીસે હટાવ્યા 
હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને સમીર વાનખેડે સામે તાત્કાલિક કોઈપણ કાર્યવાહી નહીં કરવાનું કહ્યું છે. તેમજ જો તેમની ધરપકડ પણ કરવી હોય તો 3 દિવસ પહેલા તેમને જાણ કરવાની રહેશે.

 

Join Our WhatsApp Community
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version