Site icon News Continuous Bureau | Mumbai

શાહરૂખના દીકરાને ઝડપનાર NCBના ઓફિસર સમીર વાનખેડેની રાજ્ય સરકાર આ કારણથી ધરપકડ કરી શકશે નહીં. જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 29 ઓક્ટોબર, 2021.
શુક્રવાર. 
ક્રુઝ ડ્રગ્સ પ્રકરણમાં વિવાદોથી ઘેરાઈ ગયેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના  મુંબઈના ઝોનલ ઓફિસર સમીર વાનખેડેને રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે તેમની અરજી પર સુનાવણી દરમિયાન તેમની સામે તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી નહીં કરવાનો આદેશ આપ્યો છે. સમીર વાનખેડેએ કોર્ટમાં એક અરજી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે સમીર વાનખેડે વિરુદ્ધ કોઈ સખત કાર્યવાહી કરવામાં ન આવે.
સમીર વાનખેડે પહેલા સેશન્સ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારની કાર્યવાહી સામે ગયા હતા. પરંતુ આર્યનનો કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યો હોવાથી સેશન્સ કોર્ટે કોઈપણ વચગાળાની રાહત આપવાની મનાઈ કરી હતી. ત્યારબાદ ગુરુવારે સમીર વાનખેડેએ હાઈકોર્ટમાં વચગાળાની રાહત માગતી અરજી કરી હતી. સમીર વાનખેડેએ અરજીમાં કહ્યું હતું કે જો તેમની તપાસ કરવામાં આવે તો તે સીબીઆઈને સોંપવામાં આવે. તેમજ તેમણે પોતાની ધરપકડની પણ શંકા વ્યક્ત કરી હતી. તેની સામે રાહત આપવાની માગણી પણ તેમણે કરી હતી.

શું સમેટાઇ રહ્યું છે ખેડૂત આંદોલન? ટિકરી બાદ હવે આ બોર્ડર પર લગાવેલા બેરિકેડ્સ દિલ્હી પોલીસે હટાવ્યા 
હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને સમીર વાનખેડે સામે તાત્કાલિક કોઈપણ કાર્યવાહી નહીં કરવાનું કહ્યું છે. તેમજ જો તેમની ધરપકડ પણ કરવી હોય તો 3 દિવસ પહેલા તેમને જાણ કરવાની રહેશે.

 

Join Our WhatsApp Channel
Amit Shah Mumbai Visit અમિત શાહના કાંડે સુનેત્રા પવારે બાંધી રાખડી! મુંબઈ આગમન પર રક્ષાબંધનની અનોખી ઉજવણી..
Voter List 2026 Maharashtra મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? ૩૧ ઓગસ્ટે પ્રસિદ્ધ થશે નવી યાદી, આ રીતે કરો ઓનલાઇન તપાસ
IITGN Bajaj Auto Foundation Partnership એન્જિનિયરિંગ ક્ષેત્રે મહિલાઓને પ્રોત્સાહન આપવા IIT ગાંધીનગર અને બજાજ ઓટો ફાઉન્ડેશન વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી
Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Exit mobile version