Site icon

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!

છત્રપતિ સંભાજીનગરના પૈઠણગેટ વિસ્તારમાં સામાન્ય વિવાદે ખૂની સ્વરૂપ લીધું. મોબાઈલ દુકાનદાર એ ગુસ્સામાં ૩૩ વર્ષીય યુવક ની ચાકુ મારીને હત્યા કરી.

Chhatrapati Sambhajinagar સનસનાટી! ભીડની વચ્ચે અચાનક 'ખૂની ખેલ', સરેઆમ હત્યાનો

Chhatrapati Sambhajinagar સનસનાટી! ભીડની વચ્ચે અચાનક 'ખૂની ખેલ', સરેઆમ હત્યાનો

News Continuous Bureau | Mumbai

Chhatrapati Sambhajinagar મહારાષ્ટ્રમાં છત્રપતિ સંભાજીનગરના વ્યસ્ત પૈઠણગેટ વિસ્તારમાં એક દિલ ધ્રુજાવી દેનારી ઘટના બની. અહીં સામાન્ય વિવાદે એટલું મોટું સ્વરૂપ લીધું કે એક યુવકનો જીવ જતો રહ્યો. પોલીસ અનુસાર, મૃતકની ઓળખ ૩૩ વર્ષના ઇમરાન અકબર કુરેશી તરીકે થઈ છે.ઘટના સોમવાર રાત્રે લગભગ સાડા નવ વાગ્યાની આસપાસની હોવાનું જણાવાયું છે. ઇમરાન રોજની જેમ ઇંડા ભુર્જીની લારી પર ખાવા આવ્યો હતો. તેણે પોતાની મોટરસાયકલ એક મોબાઈલ દુકાન – એમ.આર. મોબાઈલ્સની સામે ઊભી રાખી હતી. દુકાનના માલિક પરવેઝ શેખે બાઇક હટાવવા કહ્યું, જેના પર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે પરવેઝે ગુસ્સામાં દુકાનમાંથી ચાકુ ઉઠાવ્યું અને સીધો ઇમરાનની ગરદન પર હુમલો કરી દીધો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.

ભીડમાં થયો ખૂની ખેલ, આરોપી ઝડપાયો

ઇમરાન જમીન પર પડી ગયો અને થોડીક જ ક્ષણોમાં તેનું મૃત્યુ થઈ ગયું. આ આખી ઘટના ભીડભાડવાળા વિસ્તારમાં બની હતી, જ્યાં ઘણા ગ્રાહકો મોબાઈલ ખરીદવા આવ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે તે સમયે દુકાનની સામે મહિલાઓ ખરીદી કરી રહી હતી, જેઓ અચાનક ખૂની ખેલ જોઈને ડરીને પાછળ હટી ગઈ.ઘટનાની જાણકારી મળતા જ ક્રાંતિ ચોક પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને વિસ્તારને ઘેરી લીધો. મુખ્ય આરોપી પરવેઝ શેખ અને તેના એક સાથીને રાત્રે જ પકડી લેવામાં આવ્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version