Site icon

Sunetra Pawar: મંત્રાલયમાં ફરી ગાજશે પવારનું નામ! સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM; જાણો કેમ તેમને અજીત પવારની જ કેબિન ફાળવાઈ?

વિમાન દુર્ઘટનામાં અજીત પવારના નિધન બાદ પત્ની સુનેત્રા પવારને મળી મોટી જવાબદારી; મંત્રાલયના ૫મા, ૬ઠ્ઠા અને ૭મા માળે આવેલી ઓફિસો ફાળવાઈ.

Sunetra Pawar મંત્રાલયમાં ફરી ગાજશે પવારનું નામ! સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM;

Sunetra Pawar મંત્રાલયમાં ફરી ગાજશે પવારનું નામ! સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM;

News Continuous Bureau | Mumbai
Sunetra Pawar મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના આકસ્મિક નિધન બાદ તેમની પત્ની સુનેત્રા પવારે ડેપ્યુટી CM તરીકે શપથ લીધા હતા. હવે સમાચાર મળી રહ્યા છે કે સુનેત્રા પવાર આ સપ્તાહના અંત સુધીમાં સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળી લેશે. મહારાષ્ટ્ર સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, સુનેત્રા પવારને મંત્રાલયમાં એ જ ઓફિસ અને કેબિન ફાળવવામાં આવી છે જેનો ઉપયોગ અગાઉ અજીત પવાર કરતા હતા.

મંત્રાલયમાં કઈ કેબિન અને ઓફિસ ફાળવાઈ?

રાજ્ય સરકારના નિર્ણય મુજબ, મંત્રાલયની મુખ્ય ઇમારતના ૬ઠ્ઠા માળે ઉત્તર દિશાની ઓફિસ, ૭મા માળે પૂર્વ દિશાના રૂમ નંબર ૭૧૭, ૭૨૨ અને ૭૨૩ તથા ૫મા માળે રૂમ નંબર ૫૦૩ સુનેત્રા પવારને ફાળવવામાં આવ્યા છે. આ એ જ સ્થાનો છે જ્યાંથી અજીત પવાર વહીવટી કામગીરી સંભાળતા હતા. સુનેત્રા પવાર હવે કાયમી ધોરણે આ ઓફિસોનો ઉપયોગ કરશે.

Join Our WhatsApp Community

આ મહત્વના વિભાગોની જવાબદારી સોંપાઈ

ડેપ્યુટી CM તરીકે સુનેત્રા પવારને કેટલાક મહત્વના મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી છે, જે નીચે મુજબ છે:
રાજ્ય આબકારી વિભાગ (State Excise)
રમતગમત અને યુવા કલ્યાણ (Sports and Youth Welfare)
લઘુમતી બાબતો (Minorities)
ઔકાફ (Aukaf)
સુનેત્રા પવાર અજીત પવારની અધૂરી રહેલી યોજનાઓ અને લોકકલ્યાણના કાર્યોને આગળ ધપાવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : India-US Trade Deal: “પોતાના પર વિશ્વાસ હોય તો બધું જ શક્ય છે…”: અમેરિકા સાથેની ટ્રેડ ડીલ બાદ PM મોદીએ આપ્યો આત્મવિશ્વાસનો મંત્ર

‘દેવગીરી’ નિવાસસ્થાન પણ યથાવત રહેવાની શક્યતા

ઓફિસની સાથે સાથે મલબાર હિલ સ્થિત સરકારી બંગલો ‘દેવગીરી’ પણ સુનેત્રા પવારને જ ફાળવવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. અજીત પવાર ડેપ્યુટી CM અને તે પહેલા વિપક્ષના નેતા તરીકે આ જ બંગલામાં રહેતા હતા. સુનેત્રા પવાર આ અઠવાડિયાના અંત સુધીમાં વિધિવત રીતે પદભાર ગ્રહણ કરી શકે છે, ત્યારબાદ તેઓ મંત્રાલયમાં બેસીને રાજ્યના મહત્વના પ્રશ્નો પર કામ શરૂ કરશે.

Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Maharashtra Weather Update: આભમાંથી વરસશે આફત! મહારાષ્ટ્રના 8 જિલ્લાઓમાં યલો એલર્ટ; ગાજવીજ અને પવન સાથે માવઠાની શક્યતા
Ajit Pawar Funeral: અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ યાત્રામાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ, અનેક લોકોના ઘરેણાં ગાયબ
Ajit Pawar Plane Crash Investigation: અજિત પવારનું વિમાન અચાનક કેવી રીતે પડ્યું? સંજય રાઉતનો ગંભીર સવાલ – ‘કંઈક તો ગરબડ છે’
Exit mobile version