ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 માર્ચ 2021
મુંબઈ ના મરીન ડ્રાઈવ વિસ્તારમાં એક હોટેલમાં આત્મહત્યા કરનાર દાદરા અને નગર હવેલી ના સાંસદ મોહન ડેલકર ની આત્મહત્યા ની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પાસે કરાવવામાં આવે તેવી માંગણી વિધાનસભામાં ઉઠી છે. શિવસેનાના ધારાસભ્ય સુનિલ પ્રભુએ માંગણી મૂકી છે કે મોહન ડેલકર ની હત્યાને અસામાન્ય સમજવી જોઈએ તેમ જ ભારત દેશના ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ્લ પટેલનું નામ સુસાઇડ નોટમાં હોવાને કારણે હવે બધી જ દિશામાં તપાસ થવી જોઇએ.
ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે મોહન ડેલકર ની આત્મહત્યાને સામાન્ય આત્મહત્યા ન સમજતા તેની ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવે.
