Site icon

આ રાજ્યના પીવાના પાણીમાં આખરી વાર ગણેશવિસર્જન થશે; કોર્ટની અંતિમ તક

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

તેલંગણા હાઈ કોર્ટે હુસેન સાગર સરોવર તથા શહેરનાં અન્ય જળાશયોમાં પ્લાસ્ટર ઑફ પૅરિસની ગણપતિની મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ લગાવ્યો હતો. કોર્ટે પોતાના આ આદેશને બદલવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી, પરંતુ ગઈ કાલે કોર્ટે તેલંગાણાના પ્રાધિકારીઓને હૈદરાબાદના હુસેન સાગર સરોવરમાં અંતિમ વખત વિસર્જનની કરવાની પરવાનગી આપી દીધી છે.

 કોર્ટે કહ્યું હતું કે આ સમસ્યા હૈદરાબાદમાં વારંવાર આવે છે અને ઘણી વાર આદેશો આપવા છતાં રાજ્ય સરકાર તે સ્થળે મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ કે પ્રદૂષણ પર નિયંત્રણ મૂકવાના તેલંગણા હાઈ કોર્ટના આદેશનું પાલન નથી કરતી.

ગણપતિબાપ્પાના વિસર્જન માટે મુંબઈ મનપાએ ચોપાટીઓ પર કરી આ ધરખમ તૈયારીઓ; જાણો વિગત  

જ્યારે પ્રાધિકારીઓના વકીલ તુષાર મહેતાની દલીલો પર હાઈ કોર્ટે પોતાના આદેશને બદલ્યો છે. મહેતાએ કહ્યું હતું  કે સરોવરમાં પ્રદૂષણ ઓછું કરવા માટે પગલાં લેવાયાં છે અને વિસર્જન બાદ તરત જ મૂર્તિઓને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવશે અને નિકાલના સ્થળે લઈ જવાશે.

 

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version