Site icon

મહારાષ્ટ્રમાં અસલી શિવસેના કોની- હવે ચૂંટણી પંચ કરશે નક્કી- સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ જૂથની આ અરજી ફગાવી 

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે(Supreme court) આજે મહારાષ્ટ્રમાં અસલી શિવસેના(real shivsena) કોની અને પાર્ટીનું ચૂંટણી નિશાન ધનુષ્ય બાણ કોનું તે મામલે સુનાવણી હાથ ધરી હતી. મહારાષ્ટ્રમાં અસલી શિવસેના નક્કી કરવાના મામલે સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) જૂથને ઝટકો તો શિંદે જૂથ(Eknath Shinde)ને રાહત આપતો ચુકાદો આપ્યો છે. પાર્ટીના ચૂંટણી નિશાન અને અસલી શિવસેના નક્કી કરવાની ચૂંટણી પંચની કાર્યવાહી પર સુપ્રીમે રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ગણેશ ચતુર્થી બાદ હવે દશેરા પણ જેલમાં- કોર્ટે સંજય રાઉતની જામીન અરજી પરની સુનાવણી આ તારીખ સુધી રાખી મુલતવી 

મહત્વનું છે કે ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચ(Election commission)ની આવી કાર્યવાહી અટકાવવા માટે સુપ્રીમમાં અરજી કરી હતી. આજે આ અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આગળ વધવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમની ખંડપીઠે કહ્યું કે ચૂંટણી પંચ અસલી શિવસેના અને તેના ચૂંટણી નિશાન પર નિર્ણય લઈ શકે છે. સુપ્રીમના આ ચુકાદા બાદ હવે ચૂંટણી પંચે નક્કી કરશે કે અસલી શિવસેના ઉદ્ધવ જૂથની છે કે શિંદે જૂથની. 

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version