Defamation Case: તેજસ્વી યાદવને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં દાખલ આ માનહાનિનો કેસ કર્યો રદ્દ..

Defamation Case: સુપ્રિમ કોર્ટે તેજસ્વી યાદવ સામેના અપરાધિક અવમાનના કેસને રદ કર્યો છે. તેને કોર્ટમાંથી રાહત મળી છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી હતી. ગુજરાતીઓ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. એક ગુજરાતી વેપારીએ તેમની સામે કેસ કર્યો હતો.

Supreme Court canceled the defamation case against Tejashwi Yadav filed in this matter in Gujarat

Supreme Court canceled the defamation case against Tejashwi Yadav filed in this matter in Gujarat

News Continuous Bureau | Mumbai 

Defamation Case: આરજેડી નેતા તેજસ્વી યાદવને ( Tejashwi Yadav ) મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે ( Supreme Court ) “ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે” તેમના નિવેદન બદલ તેમની સામે દાખલ કરાયેલ માનહાનિનો કેસ રદ કર્યો હતો. સુનાવણી દરમિયાન તેજસ્વી યાદવે સોગંદનામું દાખલ કરીને પોતાના નિવેદન માટે ખેદ વ્યક્ત કર્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે તેજસ્વી યાદવ સામેની સુનાવણી હવે અમદાવાદમાં નહીં ચાલે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે તેજસ્વીની માફીનો સ્વીકાર પણ કરી લીધો છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી મુજબ, જસ્ટિસ એએસ ઓકા અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે મંગળવારે (13 ફેબ્રુઆરી) સવારે 10:30 વાગ્યે આ મામલામાં ચુકાદો આપ્યો હતો. અગાઉ 29 જાન્યુઆરીના રોજ, સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવને તેમની કથિત ટિપ્પણી ‘ફક્ત ( Gujaratis ) ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે’ પાછી ખેંચીને ‘યોગ્ય નિવેદન’ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

 શું છે આ મુદ્દો…

આરજેડી ( RJD ) નેતા  અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે 22 માર્ચ, 2023ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે,’જો આપણે આજની દેશની સ્થિતિ જોઈએ, તો માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે અને આવા ઠગોને માફ પણ કરવામાં આવશે. એલઆઈસીમાં પૈસાની છેતરપિંડી, બેંકના પૈસા પાછા ન આપવા, પૈસા લીધા પછી તેઓ ભાગી જશે, તો આ બધા માટે કોણ જવાબદાર રહેશે? ઉલ્લેખનીય છે કે, પંજાબ નેશનલ બેંકમાંથી રૂ. 13,000 કરોડની છેતરપિંડી કરવાના આરોપી મેહુલ ચોક્સી સામેની રેડ કોર્નર નોટિસ પાછી ખેંચવા અંગે તેમણે આ ટિપ્પણી કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Farmers protest 2.0 : ખેડૂતોનું ‘દિલ્હી ચલો’ આંદોલન માર્ચ 2020ના આંદોલનથી કેવી રીતે અલગ છે? અહીં આ 5 મુદ્દામાં સમજો.

તેજસ્વીના આ નિવેદન સામે અમદાવાદના હરેશ મહેતાએ ગુજરાતની કોર્ટમાં ( Gujarat court ) ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ પછી તેજસ્વી યાદવ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને તેમની અરજીમાં આ કેસને ગુજરાતની બહાર દિલ્હી અથવા પટનામાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.

આ સિવાય તેજસ્વી યાદવે 19 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું અને પોતાનું ‘ગુજરાતી ઠગ’ ( Gujarati Thug ) નિવેદન પાછું ખેંચ્યું હતું. જો કે, સુપ્રીમ કોર્ટે તેજસ્વીની માફી માંગવાની પદ્ધતિને યોગ્ય ગણાવી ન હતી અને 29 જાન્યુઆરીએ તેજસ્વીને તેમનું નિવેદન પાછું ખેંચી લેવા અને ‘યોગ્ય નિવેદન’ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પછી તેજસ્વીએ બિનશરતી માફી માંગી હતી. જેમાં હવે કોર્ટે માફી સ્વીકારી લીધી છે.

Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Trump Boasts Again: ડોનાલ્ડ ટ્રમ્પની ફરી મોટી શેખી: ‘ટેરિફ’ના જોરે 8 મહિનામાં 10 યુદ્ધ રોકવાનો કર્યો દાવો, બાઈડેન પર કર્યા આકરા પ્રહાર
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
Exit mobile version