Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત : ભર શિયાળે આંબો કેસર કેરીથી ઊભરાયો,ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા પંહોચતા કુતૂહલ સર્જાઇ

અહીં યાર્ડમાં ત્રણ કેરેટ એટલે કે 6 બોક્સ કેસર કેરીની આવક થતા કેરીના સ્વાગત માટે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

Surprised by the yield of Kesar Mango in Bharshiale in Porbandar

ગુજરાત : ભર શિયાળે આંબો કેસર કેરીથી ઊભરાયો,ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા પંહોચતા કુતૂહલ સર્જાઇ

News Continuous Bureau | Mumbai

ગુજરાતની કેસર કેરી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઉનાળામાં પાકતી આ કેરી હવે શિયાળામાં પણ જોવા મળી રહી છે. ન માત્ર એટલું જ પણ પાક પર આવી ગઈ હોવાને કારણે તે વેચાણ માટે માર્કેટિંગ યાર્ડ સુધી પણ પહોંચી રહી છે.આ વાત પોરબંદર માર્કેટિંગ યાર્ડની છે.અહીં યાર્ડમાં ત્રણ કેરેટ એટલે કે 6 બોક્સ કેસર કેરીની આવક થતા કેરીના સ્વાગત માટે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

Join Our WhatsApp Community

માર્કેટમાં ફળોનો રાજા કેરીનું વહેલું આગમન

વહેલા કેરીના પાકની આવક થવાને કારણે માર્કેટમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહી છે.સામાન્ય રીતે કેસર કેરીને ફળોનો રાજા ગણવામાં આવે છે.આ કેરીનું ઉત્પાદન ઉનાળામાં થતું હોય છે પરંતુ પોરબંદરના એક ખેડૂતના બગીચામાં કેરીનો પાક આવવાની શરૂઆત થઇ ગઈ છે અને તેમણે કેરી માર્કેટમાં વહેંચવા પણ કાઢી દીધી છે.

પોરબંદર તાલુકાના બિલેશ્વર અને ખંભાળા સહિતના ગામોમાં બે ત્રણ મહિના પહેલા આંબામાં મોર જોવા મળી રહ્યા છે.તો કેટલાક આંબામાં કેરી પાકી જતા માર્કેટિંગ યાર્ડમાં વહેચાણ માટે પહોંચ્યા છે.60 કિલો કેરીની આવક થતા કેસર કેરી હરાજીમાં આવી હતી.

વહેલી કેરીને ગ્લોબલ વોર્મિંગની અસર

આ કેરીનું આગમન કેટલાક લોકો વાતાવરણમાં થયેલા બદલાવને માની રહ્યા છે.ગ્લોબલ વોર્મિંગના કારણે હવામાનના ફેરફારને લીધે ઉનાળાના બદલે ભર શિયાળે આંબામાં મોર ફૂટવા લાગ્યા છે અને કેટલાક આંબાઓમાં કેરી નું ઉત્પાદન પણ આવી રહ્યું છે. આ ઘટનાને પ્રથમ બનાવ માનવામાં આવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રના ગઠબંધન પર સંકટ.. કર્ણાટકના સરહદ વિવાદને લઈને શિંદે-ફડણવીસ આમને-સામને.. શું ભાજપ ગૃહમાં ઠરાવનો વિરોધ કરશે?
આ કેરીના આગમન થવાને કારણે વેપારીઓ જે વર્ષોથી કેરીનો ધંધો કરી રહ્યા છે તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને આ ઘટનાને નવીન ગણાવી રહ્યા છે.

કેરીના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ

માર્કેટિંગ યાર્ડમાં કેરીનું આગમન થવાને કારણે જે લોકો કેરીનો રસીયાઓ જે સ્વાદ ચાખવા માંગી રહ્યા છે.તેઓ પણ અદભુત સ્વાદ માણી શકશે તો બીજી તરફ ખેડૂતોને પણ સારા ભાવ મળવાને કારણે ખુશી જોવા મળી રહી છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version