Site icon News Continuous Bureau | Mumbai

શ્રાવણ મહિનો શરૂ- મીઠાઈઓ મોંઘી- જીએસટી નો પ્રતાપ

News Continuous Bureau | Mumbai

તહેવાર હોય કે પછી કોઈ પ્રસંગ આપણા દેશમાં દરેક ઘરમાં મીઠાઈ(sweets)ની હાજરી તો અવશ્ય જોવા મળે છે. મીઠાઈ વડે જ્યાં સુધી મોઢું મીઠું ના કરે, ત્યાં સુધી પ્રસંગનો સ્વાદ પણ ફિક્કો પડે છે. તેમાં પણ ગુજરાતીઓ કહ્યા એટલે ખાવામાં જાતભાતની વેરાઇટી ન હોય તેવું કઈ રીતે બને.  

Join Our WhatsApp Community

મહત્વપૂર્ણ છે કે ગત 10 જુલાઈથી હિંદુ ચાતુર્માસ(Chaturmass) શરૂ થતાની સાથે જ તહેવારો(festivals) શરૂ થઈ ગયા છે. એેવામાં જ જન્માષ્ટમી(Janmashtmi) અને રક્ષાબંધન(Rakshabandhan) સહિતના તહેવારોની ઉજવણીનો માહોલ શરુ થઇ ગયો છે. તહેવારોમાં લોકો મીઠાઈ અને ફરસાણ(Sweets and Farsan)ની ખરીદી કરે છે. પરંતુ હવે લોકોના મનપસંદ ફરસાણ અને મીઠાઇના સ્વાદ બગડવાનો છે કારણ કે મીઠાઈ અને ફરસાણના ભાવમાં 15 ટકા સુધીનો વધારો થયો છે. તો ફરસાણના ભાવમાં વધારો કરવાની વેપારીઓને ફરજ પડી છે. જે ફરસાણ પ્રતિકિલો રૂ. 200થી 300માં વેચાતું હતું, તે આજે રૂ. 220થી 330માં વેચાતું થઈ ગયું છે. કારણ કે કેન્દ્ર સરકારે(Central govt) ગત 18 જુલાઈથી લેબલવાળા પેકેટમાં વેચાતા દૂધ, દહીં, છાશ અને લોટ સહિતની ચીજવસ્તુ પર 5% જીએસટી(GST) લાગુ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : શ્રીલંકા પછી આ દેશની સંસદ પણ લોકોએ કબજામાં લઈ લીધી- જુઓ ફોટોગ્રાફ

 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version