Site icon News Continuous Bureau | Mumbai

થાણેમાં આવતીકાલે પાણીકાપ, શહેરના આ વિસ્તારોમાં 24 કલાક પાણી પુરવઠો રહેશે બંધ; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

થાણેકરો માટે આ મહત્વના સમાચાર છે. બુધવારે થાણે(Thane)ના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો(water supply) બંધ કરવામાં આવશે. STEM ઓથોરિટી દ્વારા ચોમાસા પૂર્વે જાળવણીની આવશ્યક કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામોને કારણે શહેરનો પાણી પુરવઠો(water cut) 15 જૂન બુધવારના રોજ સવારે 9 વાગ્યાથી 16 જૂનને ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી બંધ રહેશે.

Join Our WhatsApp Channel

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન(Thane Municipal Corporation)ના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે આ સમારકામના કામને પગલે નાગરિકોને કોઈ અસુવિધા ન થાય તે માટે શહેર(Thane)માં તબક્કાવાર પાણી પુરવઠો ચાલુ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : શું હવે બે સીટોથી એક સાથે ચૂંટણી નહીં લડી શકાય- જાણો ચૂંટણી પંચની નવી ચોંકાવનારી ભલામણ

પાલિકાની યોજના મુજબ ઘોડબંદર રોડ, પાટલીપાડા, પવારનગર, કોઠારી કમ્પાઉન્ડ, આઝાદનગર, ડોંગરીપાડા, વાઘબીલનો પાણી પુરવઠો બુધવારે સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી બંધ રહેશે. તો સમતાનગર, ઋતુપાર્ક, સિદ્ધેશ્વર, ઇટરનિટી, જોન્સન, જેલ, સાકેત, ઉથલસર, રેતીબંદર, કાલવાયચા અને મુંબ્રાના કેટલાક ભાગોનો પાણી પુરવઠો(Water cut) બુધવારે રાત્રે 9 વાગ્યાથી ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી બંધ રહેશે. આ પાણીકાપ બાદ આગામી એકથી બે દિવસ ઓછા દબાણ સાથે પાણી પુરવઠો મળવાની સંભાવના છે.

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version