Site icon News Continuous Bureau | Mumbai

Thane News: થાણેની સરકારી હોસ્પિટલમાં 1 જ દિવસમાં 18 દર્દીના મોતથી મચ્યો ખળભળાટ…CMનો તપાસનો આદેશ જારી… જયંત પાટીલએ કર્યો સરકાર પર આક્ષેપોનો પ્રહાર… જાણો શું છે આ મુદ્દો…

Thane News: થાણે જિલ્લાની એક હોસ્પિટલમાં 18 લોકોના મોત થયા છે. આ ઘટનાના કારણે વિરોધીઓને બોલવાનો મોકો મળી ગયો છે.

thane-news-see-aapla-dawakhana-in-thane-jayant-patal-criticized-the-chief-minister-over-the-death-of-18-patients

thane-news-see-aapla-dawakhana-in-thane-jayant-patal-criticized-the-chief-minister-over-the-death-of-18-patients

News Continuous Bureau | Mumbai 

Thane News: મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) ના ગઢ તરીકે ઓળખાતા થાણે (Thane) જિલ્લાની એક હોસ્પિટલમાં 18 લોકોના મોત થયા છે. આ ઘટનાના કારણે વિરોધીઓને બોલવાનો મોકો મળી ગયો છે.

Join Our WhatsApp Channel

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ સંચાલિત કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં બે દિવસ પહેલા પાંચ દર્દીઓના મોત થયા હતા. ત્યારબાદ પણ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો, પરંતુ શનિવારે રાત્રે એક પછી એક 18 દર્દીઓના મોત થતાં મેનેજમેન્ટના હોશ ઉડી ગયા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટ કંઈક સમજી શકે ત્યાં સુધીમાં મામલો રાજકીય સ્વરૂપ ધારણ કરી લેતાં સ્થાનિક ધારાસભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 

રાજ્યમાં ‘આપણા દાવખાના’ શરૂ કરનાર મુખ્યમંત્રીની તેમના શહેરની હોસ્પિટલની ઉપેક્ષા કરવા બદલ ટીકા થઈ રહી છે. એનસીપી (NCP) ના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે “સરકારી દાવખાના” ની જાહેરાત કરતા પહેલા મુખ્યમંત્રી શિંદેને તેમના ગામમાં “તેમના દાવખાના” જોવા માટે ટીકા કરી છે. “મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પહેલા થાણે શહેરની હોસ્પિટલોમાં સુધારો કરવો જોઈએ,” સાંગલીમાં પત્રકારોને.. પાટીલે કહ્યું.

આ સમાચાર પણ વાંચો : Bike Offers: ઘરે લઈ જાવ સૌથી સસ્તી બાઈક! બાઇક કે સ્કૂટર ખરીદવા પર મેળવો 5000 રૂપિયાનું કેશબેક, સસ્તી લોન અને ઘણુ બધુ.. જાણો બાઈકની સંપુર્ણ ઓફર વિગતવાર અહીં..

એનસીપીના નેતા ધારાસભ્ય જીતેન્દ્ર આવાડે માંગ કરી છે કે હોસ્પિટલનું ઓડિટ કરવામાં આવે. હોસ્પિટલ પ્રશાસને ખુલાસો કર્યો છે કે તમામ દર્દીઓ ગંભીર બીમારીઓથી પીડિત હતા. એકનાથ શિંદેએ માહિતી આપી છે કે આરોગ્ય નિયામકની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરવામાં આવી છે. મુખ્યમંત્રી શીંદેએ કહ્યું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને આ બાબતે આરોગ્ય વિભાગ (Health Department) ને યોગ્ય સૂચના આપી છે.

રિપોર્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે

શિંદેએ કહ્યું, “આ દર્દીઓને અલગ-અલગ દિવસે દાખલ કરવામાં આવ્યા હતા. આરોગ્ય નિયામકની અધ્યક્ષતામાં તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. થાણેની હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ કમનસીબ છે. સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.
બાળાસાહેબ ઠાકરે(Bala Saheb Thackeray) સરકારી દાવખાનું'(Government Hospital) મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શિંદે સરકારની નવી આરોગ્ય યોજના છે . હાલમાં, થાણે અને મુંબઈ શહેરોમાં આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. નજીકના ભવિષ્યમાં રાજ્યભરમાં આવા 700 ક્લિનિક્સ શરૂ કરવામાં આવશે.

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version