Site icon News Continuous Bureau | Mumbai

થાણેમાં દહીંહાંડીની ઉજવણીની જાહેરાત કરનારા મનસે નેતાને પોલીસે લીધો અટકાયતમાં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 30 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં દહીંહાંડીની ઉજવણી રદ કરી નાખી છે. છતાં સરકારના આદેશ વિરુદ્ધ  થાણેમાં દહીંહાંડીની ઉજવણી માટે સ્ટેજ બાંધનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના થાણેના જિલ્લા અધ્યક્ષ અવિનાશ જાધવને પોલીસે તાબામાં લીધો હતો. એથી થાણેમાં તણાવનો માહોલ સર્જાયો હતો.

મહારાષ્ટ્રની ઠાકરે સરકારને આંચકો, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પરિવહન મંત્રી અનિલ પરબને આ તારીખે હાજર થવા નોટીસ પાઠવી; જાણો વિગતે 

સોમવારે સવારના મનસેના નેતા અવિનાશે થાણેમાં દહીંહાંડી માટે મોટો સ્ટેજ બાંધ્યો હતો, ત્યાર બાદ તે ત્યાં જ ભૂખહડતાળ પર બેસી ગયો હતો. એથી પોલીસે તેને અને તેના સાથીદારોને તાબામાં લીધા હતા અને સ્ટેજ કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની સૂચનાને પગલે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં દહીંહાંડીની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો છે. છતાં થાણેમાં મનસેએ દહીંહાંડી ઉત્સવની ઉજવણી કરવાની જાહેરાત કરી હતી. કોરોનાને લગતા નિયમોનું પાલન કરીને ઉજવણી કરાશે એવો દાવો પણ મનસેએ કર્યો હતો.

Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Maharashtra SSC Result 2026।શું મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ મરાઠી ભૂલી રહ્યા છે? SSC બોર્ડમાં ૮૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ માતૃભાષામાં નાપાસ; શિક્ષણશાસ્ત્રીઓએ વ્યક્ત કરી ચિંતા
Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Exit mobile version