Site icon News Continuous Bureau | Mumbai

એક સમયે સૌથી વધુ વહેલ માછલીનો શિકાર થતો એ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો હવે વહેલ માટે સૌથી વધુ સુરક્ષિત, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

એક સમયે જ્યારે સૌરાષ્ટ્રનો દરિયાકિનારો વહેલ-શાર્ક માછલીના શિકાર માટે બહુ પ્રચલિત હતો. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ વર્ષે સરેરાશ 200થી વધારે વહેલ-શાર્કનો શિકાર સૌરાષ્ટ્રના દરિયાકિનારે થતો હતો. આજે એ જ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો વહેલ-શાર્ક માટે સૌથી સુરક્ષિત વિસ્તાર બની ગયો છે. સાગરખેડુઓએ જાણે વહેલ-શાર્કને પોતાની દીકરી બનાવી દીધી છે.

ગુજરાતમાં ૨૦૦૧ દરમિયાન આ માછલીના શિકાર પર પ્રતિબંધ મુકાયો હતો ત્યાર બાદ માછીમારો જાળમાં ફસાયેલી વહેલ-શાર્કને પોતાની મોંઘી જાળ કાપીને પણ છોડી મૂકતા હતા. છેલ્લાં ૧૫ વર્ષમાં એક પણ વહેલ-શાર્કનો શિકાર થયો નથી. આ સમયગાળામાં ૮૦૦ જેટલી જાળમાં ફસાયેલી માછલીઓને છોડી મૂકવામાં આવી હતી. ઉપરાંત મોરારીબાપુએ પણ અપીલ કરી હતી કે વહેલ-શાર્ક તો બચ્ચાંને જન્મ આપવા માટે પોતાના પિયર આવતી દીકરી જેવી છે. દીકરીને થોડી મરાય.

પશ્ચિમ બંગાળમાં શરૂ થયો નવો ખેલ; હવે વેક્સિન સર્ટિફિકેટ પર મોદીની જગ્યાએ મમતાનો ફોટો, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે વહેલ-શાર્ક માછલી ડિસેમ્બરથી માર્ચ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયામાં જોવા મળે છે. દરિયાકાંઠે મોટા પ્રમાણમાં વિવિધ સૂક્ષ્મ દરિયાઈ જીવસૃષ્ટિ અને શેવાળ હોય છે. જે વહેલ-શાર્કનો મનપસંદ ખોરાક છે. વર્ષ 2012થી માછીમારો પોતે વહેલ-શાર્કને જાળમાંથી બચાવવાના ફોટો વન વિભાગમાં જમા કરાવી શકે છે. તેમને રૂ. 25 હજાર સુધીનું વળતર પણ ચૂકવાય છે.

Eknath Shinde Cabinet Expansion કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ શિવસેના માટે આટલા મંત્રીપદો ફાળવવાની રાખી માંગ, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ
NCP Reunion BJP Condition મહારાષ્ટ્રના રાજકારણમાં ઊથલપાથલના સંકેત શરદ પવારની NDA માં એન્ટ્રી અને NCP ના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ, મૂકી આ શરત…
Maharashtra Euthanasia Committee મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય ઈચ્છામૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ ‘મેડિકલ કમિટી’
Siddhivinayak Temple Replica in Manipur આ રાજ્યમાં બનશે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરની પ્રતિકૃતિ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની મોટી જાહેરાત
Exit mobile version