Site icon News Continuous Bureau | Mumbai

દુકાનો અને મૉલ સંદર્ભે આ નિર્ણય ટૂંકમાં જ લેવાશે; જાણી લો વિગત

મહારાષ્ટ્રમાં આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ મળેલી ટાસ્ક ફોર્સની બેઠકમાં દુકાનો અને મૉલ ખોલવા સંદર્ભે સકારાત્મક ચર્ચા થઈ છે. આ બાબતે રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ એક મીડિયા હાઉસને માહિતી આપી હતી. એ મુજબ દુકાનો અને મૉલ ખોલવા સંદર્ભે નિર્ણય મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં લઈ શકે છે.

દુકાનો, મૉલ, રેસ્ટોરાંસ, સલૂન્સ અને પાર્લર ધીમે-ધીમે વધુ કર્મચારીઓ સાથે શરૂ કરાશે. ઉપરાંત વીકએન્ડ લૉકડાઉન માત્ર હવે રવિવાર પૂરતું જ કરવામાં આવે એવી શક્યતા ટોપેએ દર્શાવી હતી. એટલે કે દુકાનો અને મૉલ શનિવારે પણ ખુલ્લાં રહી શકશે. બીજી બાજુ ખાનગી ઑફિસો પણ 50% કર્મચારીઓની હાજરી સાથે શરૂ કરી શકાય છે, પરંતુ એ.સી. બંધ રાખવું પડશે.

Join Our WhatsApp Channel

મુંબઈમાં 30 જુલાઈથી આ લોકોને મળશે ઘરમાં કોરોનાની વેક્સિન; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ નિર્ણય અને તેની વિગતવાર ગાઇડલાઇન રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેર કરી શકે છે. જોકેઆ બેઠકમાં મુંબઈ લોકલ સંદર્ભે હજી સકારાત્મક નિર્ણય લેવાયો નથી. આગામી ૧૫ દિવસમાં એ સંદર્ભે પણ નિર્ણય લેવાશે એમ ટોપેએ ઉમેર્યું હતું.

Maharashtra Legislative Council Election મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી, નાશિક અને સોલાપુરમાં દારૂબંધીના આદેશ
Nagpur Crime Case નાગપુર પોલીસની ત્વરિત કાર્યવાહી, પરણીતાને શિકાર બનાવી ધર્માંતરણનું કાવતરું રચનારા બે આરોપીઓ દબોચાયા.
Gir Safari Extended સિંહપ્રેમીઓ માટે ખુશખબર ગીર જંગલ સફારીની મુદ્દતમાં વધારો, હવે આ તારીખ સુધી થશે સિંહ દર્શન
Water Crisis in Thane ઠાણેમાં ચોમાસામાં વિલંબને કારણે ૨૦% પાણીકાપની જાહેરાત, આ તારીખે ૨૪ કલાક પાણી પુરવઠો રહેશે બંધ
Exit mobile version