Site icon News Continuous Bureau | Mumbai

દુકાનો અને મૉલ સંદર્ભે આ નિર્ણય ટૂંકમાં જ લેવાશે; જાણી લો વિગત

મહારાષ્ટ્રમાં આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ મળેલી ટાસ્ક ફોર્સની બેઠકમાં દુકાનો અને મૉલ ખોલવા સંદર્ભે સકારાત્મક ચર્ચા થઈ છે. આ બાબતે રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ એક મીડિયા હાઉસને માહિતી આપી હતી. એ મુજબ દુકાનો અને મૉલ ખોલવા સંદર્ભે નિર્ણય મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં લઈ શકે છે.

દુકાનો, મૉલ, રેસ્ટોરાંસ, સલૂન્સ અને પાર્લર ધીમે-ધીમે વધુ કર્મચારીઓ સાથે શરૂ કરાશે. ઉપરાંત વીકએન્ડ લૉકડાઉન માત્ર હવે રવિવાર પૂરતું જ કરવામાં આવે એવી શક્યતા ટોપેએ દર્શાવી હતી. એટલે કે દુકાનો અને મૉલ શનિવારે પણ ખુલ્લાં રહી શકશે. બીજી બાજુ ખાનગી ઑફિસો પણ 50% કર્મચારીઓની હાજરી સાથે શરૂ કરી શકાય છે, પરંતુ એ.સી. બંધ રાખવું પડશે.

Join Our WhatsApp Channel

મુંબઈમાં 30 જુલાઈથી આ લોકોને મળશે ઘરમાં કોરોનાની વેક્સિન; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ નિર્ણય અને તેની વિગતવાર ગાઇડલાઇન રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેર કરી શકે છે. જોકેઆ બેઠકમાં મુંબઈ લોકલ સંદર્ભે હજી સકારાત્મક નિર્ણય લેવાયો નથી. આગામી ૧૫ દિવસમાં એ સંદર્ભે પણ નિર્ણય લેવાશે એમ ટોપેએ ઉમેર્યું હતું.

Mumbai Pune Expressway। મહારાષ્ટ્ર દિવસની મોટી ભેટ! ૧ મેથી મુંબઈપુણે ‘મિસિંગ લિંક’ ખુલ્લી મુકાશે, જાણો કયા વાહનોને મળશે પ્રવેશ
Nagpur RSS Threat। નાગપુરમાં RSS મુખ્યાલયને રેડિયેશનની ધમકી ATS અને NDRF ની તપાસમાં ખળભળાટ, ‘સીઝિયમ137’ ફેલાવવાનો પત્રમાં દાવો
Uddhav Thackeray। મહારાષ્ટ્ર વિપક્ષી ગઠબંધનમાં ભંગાણના સંકેત ઉદ્ધવ ઠાકરેની ખાલી બેઠક પર કોંગ્રેસની નજર, ઉમેદવાર ઉતારવાની તૈયારી
Pune Gas Leak। પુણેમાં મોડી રાત્રે કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીક 24 લોકોને શ્વાસ લેવામાં તકલીફ, લોકોએ ઘરની બહાર વિતાવી રાત
Exit mobile version