Site icon News Continuous Bureau | Mumbai

Devendra Fadnavis: શું મહાયુતિમાં બધું બરાબર નથી? અજિત પવારના નિવેદન પર દેવેન્દ્ર ફડણવીસની લાલ આંખ; આપ્યો અત્યાર સુધીનો સૌથી આકરો વળતો જવાબ

ભ્રષ્ટાચારના આક્ષેપો પર ફડણવીસનો પલટવાર; ચંદ્રકાંત પાટીલે પણ અજિત દાદાને સંભળાવ્યું- "યાદ રાખજો, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પદ અમારી પાસે છે."

Devendra Fadnavis: શું મહાયુતિમાં બધું બરાબર નથી? અ

Devendra Fadnavis: શું મહાયુતિમાં બધું બરાબર નથી? અ

News Continuous Bureau | Mumbai

Devendra Fadnavis  મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ સત્તાધારી મહાયુતિના સાથી પક્ષો વચ્ચે પણ તણાવ વધી રહ્યો છે. પિંપરી-ચિંચવડમાં ભાજપે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરનાર અજિત પવારને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વળતો જવાબ આપ્યો છે. પુણેના કાત્રજ ખાતે એક પ્રચાર સભામાં બોલતા ફડણવીસે અજિત પવારને સંકેતોમાં ચેતવણી આપતા કહ્યું કે, “આપણે જેટલા ભૂતકાળમાં જઈશું, તેટલો જ વિવાદ વધશે.”

Join Our WhatsApp Community

ફડણવીસનો અજિત પવારને અરીસો જોવાનો આદેશ

દેવેન્દ્ર ફડણવીસે આક્ષેપો કરનારા નેતાઓને ટાર્ગેટ કરતા કહ્યું કે, જો કોઈ અમને પૂછશે કે અમે શું કામ કર્યું છે, તો તેમણે પહેલા અરીસામાં જોવું જોઈએ. અજિત પવારનું નામ લીધા વગર ફડણવીસે સૂચક સંદેશ આપ્યો કે જૂના મુદ્દાઓ ઉખેડવાથી કોઈને ફાયદો થવાનો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પુણેના સાંસ્કૃતિક, ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસમાં ભાજપનો મોટો ફાળો છે અને છેલ્લા પાંચ વર્ષમાં ભાજપે શહેરમાં અભૂતપૂર્વ કામો કર્યા છે.

ચંદ્રકાંત પાટીલનો આક્રમક પ્રહાર: “જનતા મૂર્ખ નથી”

આ જ સભામાં ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે અજિત પવાર પર સીધા પ્રહાર કર્યા હતા. પાટીલે સવાલ કર્યો કે, “અજિત દાદા, વર્ષો સુધી પુણે અને પિંપરીમાં તમારી સત્તા હતી, ત્યારે તમે વિકાસ કેમ ન કર્યો? તમે જે મેટ્રોની વાતો કરો છો, તે 2001 થી 2017 સુધી માત્ર કાગળ પર જ હતી, તેને ગ્રાઉન્ડ પર લાવવાનું કામ ભાજપે કર્યું છે.” પાટીલે કટાક્ષમાં કહ્યું કે જનતા બધું જાણે છે અને તે મૂર્ખ નથી.

આ સમાચાર પણ વાંચો : Nicolas Maduro: અમેરિકાના આંગણે જ ટ્રમ્પને માદુરોનો પડકાર! કોણ છે એ ‘સુપર વકીલ’ જે ડોનાલ્ડ ટ્રમ્પ સામે લડશે માદુરોનો કેસ?

ગૃહમંત્રી પદની યાદ અપાવી આપી ચેતવણી

ચંદ્રકાંત પાટીલે વાતચીત દરમિયાન અજિત પવારને ગંભીર ઈશારો કરતા કહ્યું કે, “અજિત દાદા, કોઈ પણ બાબતને હળવાશમાં ન લો. એ ન ભૂલતા કે અત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બંને પદ અમારી પાસે છે.” આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું ભાજપ હવે અજિત પવાર જૂથ પર દબાણ વધારવાની વ્યૂહરચના અપનાવી રહ્યું છે? પુણે પાલિકાની આ લડાઈ હવે ભાજપ વિરુદ્ધ NCP (અજિત પવાર) જેવી દેખાઈ રહી છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version