Site icon News Continuous Bureau | Mumbai

Droupadi Murmu Ujjain: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સફાઈ મિત્ર સંમેલનમાં આપી હાજરી, આ રોડ પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ.

Droupadi Murmu Ujjain: ભારતના રાષ્ટ્રપતિએ ઉજ્જૈનમાં સફાઈ મિત્ર સંમેલનને સંબોધિત કર્યું

The President of India Droupadi Murmu addressed the Safai Mitra convention in Ujjain

The President of India Droupadi Murmu addressed the Safai Mitra convention in Ujjain

News Continuous Bureau | Mumbai

Droupadi Murmu Ujjain: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ( Droupadi Murmu ) મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સફાઈ મિત્ર સંમેલનમાં હાજરી આપી અને સંબોધન કર્યું. આ પ્રસંગે તેમણે ઈન્દોર-ઉજ્જૈન સિક્સ લેન રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો. 

Join Our WhatsApp Channel

સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા સફાઈ મિત્રો ( Safai Mitra Sammelan  ) અગ્રિમ હરોળના સ્વચ્છતા માટેના યોદ્ધાઓ છે. તેઓ આપણને બીમારીઓ, ગંદકી અને સ્વાસ્થ્યને લગતા જોખમોથી બચાવે છે. તેઓ રાષ્ટ્રનિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સ્થાનિક, રાજ્ય ( Madhya Pradesh ) અને રાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતા ક્ષેત્રે આપણી સિદ્ધિઓનો સૌથી મોટો શ્રેય આપણા સફાઈ મિત્રોને જાય છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે સફાઈ મિત્રોની સુરક્ષા, ગૌરવ અને કલ્યાણ સુનિશ્ચિત કરવું એ સરકાર ( Central Government ) અને સમાજની મહત્વપૂર્ણ જવાબદારી છે. મેન-હોલ્સ દૂર કરવા અને મશીન-હોલ્સ દ્વારા તેને સાફ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ સફાઈ મિત્રોને લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સફાઈ મિત્ર સુરક્ષા શિબિરો દ્વારા તેમને આરોગ્ય તપાસની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે એ જાણીને આનંદ થયો કે મધ્યપ્રદેશના ઘણા શહેરોને સફાઈ મિત્ર સુરક્ષા શહેરો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે વર્ષ 2025 સુધી ચાલનારા સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કા દરમિયાન આપણે સંપૂર્ણ સ્વચ્છતાનું લક્ષ્ય હાંસલ કરવાનું છે. ‘ખુલ્લામાં શૌચથી મુક્ત’ રહેવાની સ્થિતિ જાળવી રાખીને નક્કર અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનમાં રાષ્ટ્રીય લક્ષ્યાંકો હાંસલ કરવાના રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Rabi Season: ખેડૂતોને મળી ભેટ, કેબિનેટે આ ખાતરો પર રવી સિઝન 2024 માટે પોષકતત્વો આધારિત સબસિડી (NBS) દરોને આપી મંજૂરી..

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘સ્વાભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’નો સંદેશ ફેલાવવાનું અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. લોકો ગંદકી અને કચરો દૂર કરીને ભારત માતાની સેવા કરવાનો સંકલ્પ લઈ રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દરેક નાગરિકો દરેક ગામ અને દરેક શેરીમાં સ્વચ્છ ભારત મિશનને પ્રોત્સાહન આપવા અને આ અભિયાન માટે શ્રમદાન કરવા આગળ આવશે. તેમણે કહ્યું કે આવું કરવાથી આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વચ્છતા સંબંધિત આદર્શોને અમલમાં મુકી શકીશું. સ્વચ્છતા તરફ આપણું એક પગલું સમગ્ર દેશને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે બધાને સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત અને વિકસિત ભારત બનાવવાની પ્રતિજ્ઞા લેવાનો આગ્રહ કર્યો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sasan Gir Lion Sighting અનોખો નજારો.. માત્ર પાંચ ફૂટનાં અંતરે ખેડૂત અને સિંહ પરિવાર આગળ પાછળ ચાલી રહ્યાં છે, જુઓ વાયરલ વીડિયો
Bhiwandi Collapse FIR Owner Contractor ભીવંડી દુર્ઘટના, અકસ્માતમાં ૧૦ જીવ ગયા બાદ એક્શનમાં તંત્ર ભીવંડી દુર્ઘટનામાં માલિકકોન્ટ્રાક્ટર સામે FIR દાખલ…
Maharashtra FDA license રેસ્ટોરાં એસોસિએશનોની મહારાષ્ટ્ર FDA ને અપીલ લાયસન્સ સસ્પેન્ડ કરતા પહેલા સુધારણા નોટિસ જારી કરો, ‘નેમ એન્ડ શેમ’ પ્રથાનો વિરોધ
Bombay High Court doubts FDA claim on Mantralaya canteen ‘મંત્રાલયની કેન્ટીનમાં એક પણ કીડો નહીં?’ FDA ના દાવા પર હાઈકોર્ટને શંકા.. વકીલોની ટીમ મોકલી
Exit mobile version