Site icon

મરાઠા અનામત માટે હવે રાજ્ય સરકાર રીવ્યુ પીટીશનના માર્ગે ફરી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે; અશોક ચવ્હાણે આપી આ અગત્યની માહિતી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

અલાહાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ દિલીપ ભોસલેની અધ્યક્ષતાવાળી સમિતિએ મહારાષ્ટ્રની રાજ્ય સરકારને મરાઠા અનામત અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણયને સમીક્ષા અરજી (રિવ્યુ પિટિશન) દ્વારા પડકારવાની ભલામણ કરી છે. રાજ્યના જાહેર બાંધકામ પ્રધાન અને મરાઠા અનામત અંગેની કૅબિનેટ પેટાસમિતિના અધ્યક્ષ અશોક ચવ્હાણે આ માહિતી મીડિયાને આપી હતી.

રાજ્ય સરકારે મરાઠા અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અભ્યાસ કરવા અને આગળના કાનૂની વિકલ્પો અંગે ભલામણો કરવા માટે અલાહાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ દિલીપ ભોસલેની અધ્યક્ષતાવાળી કાનૂની નિષ્ણાતોની સમિતિની રચના કરી હતી. સમિતિએ શુક્રવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પોતાનો અહેવાલ આપ્યો હતો. અહેવાલ વિશે મીડિયા સાથે વાત કરતાં અશોક ચવ્હાણે કહ્યું હતું કે, 40થી વધુ કાનૂની મુદ્દાઓને આધારે રિવ્યુ પિટિશન દાખલ કરાશે. સમિતિએ રાજ્ય સરકારને સૂચન આપ્યું છે કે બે મોટા કાયદાકીય મુદ્દાઓ, 50 ટકા અનામતમર્યાદા અને 102માં સુધારા, મરાઠા અનામતનો સૌથી મોટો અવરોધ છે.

જાણો તમારું શહેર કયા લેવલમાં આવે છે? તો તમને શું છૂટ મળશે? એક સપ્તાહ સુધી મહારાષ્ટ્રનાં કયાં શહેરોમાં કયા પ્રકારનું લૉકડાઉન રહેશે;જાણો વધુ વિગત

મરાઠા અનામતનો આગામી માર્ગ હવે સ્પષ્ટ થઈ ગયો છે. કેન્દ્ર સરકારે પણ 102માં સુધારણા સુધી મર્યાદિત ફેરવિચારણા અરજી દાખલ કરી છે. જોકેકેન્દ્રની પુનર્વિચાર અરજી મરાઠા અનામતને ન્યાય આપવા માટે પૂરતી નથી.

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version