Site icon News Continuous Bureau | Mumbai

તહેવારોને લઈને ગુજરાત સરકારની ગાઈડલાઈન જાહેર..  નોરતામાં ગરબે ઘુમવાના ઓરતા અધૂરા રહ્યા..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
09 ઓક્ટોબર 2020 
કોરોના કાળમાં ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિથી લઈને દિવાળી સુધીના તહેવારો કેવી રીતે ઉજવવા તે અંગે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જે મુજબ,શેરી ગરબાને પણ પરમિશન આપવામાં આવી નથી.. નોંધનીય છે કે તમામ એસ ઓ પી નું પાલન અવશ્ય કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. નોંધનીય છે કે તદ્દનુસાર છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.


રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020 થી કરવાનો રહેશે.. 
– આ માટે સ્થાનિક વહીવટી તંત્ર ની મંજુરી લેવી આવશ્યક રહેશે
– 200થી વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં. તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે. પ્રસાદ પણ નહીં વહેંચી શકાય.
– સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ ઢાંકીવો પડશે
– થર્મલ સ્કેનર, સેનીટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનીટાઇઝ કરવાના રહેશે
– હેન્ડવોશ, સેનીટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે
– સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે
ત્યારે બીજી તરફ 65 થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે. જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળ ની કેપેસિટી ના 50 ટકા કે વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે.
– લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિઓ ભાગ લઇ શકશે
– મૃત્યુ બાદની અંતિમ ક્રિયા – ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે
– દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ, નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈ બીજ શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે
– આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે
– મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે
– આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
– તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે..

Join Our WhatsApp Channel
Devendra Fadnavis Meets PM Modi મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વડાપ્રધાન મોદીની મુલાકાતે, દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ અને બેઠકોનો ધમધમાટ
Lakhisarai Ashok Dham Temple Stampede બિહારના લખીસરાઈ અશોક ધામ મંદિરમાં ભીષણ ભાગદોડ, ૭ શ્રદ્ધાળુઓના મોત અને અનેક ઘાયલ
Arunachal Pradesh Flash Flood અરુણાચલ પ્રદેશમાં પ્રકૃતિનો ખૌફનાક રૌદ્ર સ્વરૂપ અચાનક આવેલા પૂરમાં સેનાના જવાનો અને મજૂરો તણાયા
Tukaram Mundhe FDA Action જ્યારે FDA વડા ખુદ રેસ્ટોરાંમાં જમવા ગયા અને અસલીનકલી પનીરનો ભાંડો ફૂટ્યો! રેસ્ટોરાં સામે કડક કાર્યવાહી
Exit mobile version