Site icon News Continuous Bureau | Mumbai

NCPના આ નેતાએ આપ્યું નિવેદન; કહ્યું લૉકડાઉનનો ખાસ ફાયદો થયો નથી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

મહારાષ્ટ્ર જ્યારે હવે રાજ્યમાં અનલૉક કરવા જઈ રહ્યું છે તએવામાં NCPના નેતા હસન મુશરિફે કહ્યું કે છે રાજ્યમાં લૉકડાઉનથી બહુ ફાયદો થયો નથી. તેમના નિવેદનથી મહાવિકાસઆઘાડી સરકાર તેમના પર કાર્યવાહી કરશે એવું લાગી રહ્યું છે. લૉકડાઉને કંઈ જ મદદ કરી નથી. હવે અનલૉકમાં, નાગરિકોએ સાવચેત રહેવાની જરૂર છે એવું નિવેદન મુશરિફે આપ્યું છે.

મુશરિફ શનિવારે કોલ્હાપુરમાં મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. “કોરોનાની આગામી લહેર મોટી હોઈ શકે છે,એથી સાવધાની રાખવી જરૂરી છે. બાળકો આ લહેરમાં સપડાઈ જાય એવી શક્યતા વધારે છે. દુકાનો ખૂલશે કે તરત લોકો ફરી ભીડ કરશે. એવું બધું ટાળવું જોઈએ.” હસન મુશરિફે લિસ્ટ બનાવી એકસાથે વસ્તુઓ ખરીદવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે ટેસ્ટમાં વધારો કર્યા વિના કોરોનાને નિયંત્રિત કરી શકાશે. રાજ્યમાં કોઈ આંકડા છુપાયેલા નથી. મુશરિફે કહ્યું કેમૃત્યુઆંક ખરેખર વધારે છે.

માંડ-માંડ બચ્યા આદિત્ય ઠાકરે; ચાલુ મિટિંગમાં અચાનક પડ્યો સ્લેબ

ઉલ્લેખનીય છે કે અહીં મુશરિફે વડા પ્રધાન ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નીરવ મોદી અને ચોકસીના સારા સંબંધ છે. એટલા માટે આ બંને સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.”

El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Exit mobile version