Site icon

Eknath Khadse: ખડસે પરિવાર પર આફત: નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ પર લૂંટ; પોલીસે ગુનો નોંધ્યો

મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેના જલગાંવ સ્થિત બંગલામાં ચોરીની ઘટના. થોડા દિવસો પહેલાં જ તેમના પુત્રવધૂ અને કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેના પેટ્રોલ પંપ પર પણ પડાઈ હતી ધાડ.

Eknath Khadse ખડસે પરિવાર પર આફત નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ

Eknath Khadse ખડસે પરિવાર પર આફત નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ

News Continuous Bureau | Mumbai

Eknath Khadse રાજકારણના વરિષ્ઠ અને વિવાદાસ્પદ નેતા તરીકે ઓળખાતા એકનાથ ખડસે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે કારણ અલગ છે. તેમના જલગાંવ સ્થિત બંગલામાં ચોરી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલું જ નહીં, પણ થોડા દિવસો પહેલાં જ તેમના પુત્રવધૂ અને કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેના પેટ્રોલ પંપ પર પણ ધાડ પડી હોવાથી જલગાંવ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું છે.

Join Our WhatsApp Community

તકનો લાભ લઈને રોકડ અને દાગીનાની ચોરી

મળતી માહિતી મુજબ, ખડસે હાલમાં મુક્તાઈનગર સ્થિત પોતાના નિવાસસ્થાને રહેતા હોવાથી જલગાંવનું ઘર કેટલાક દિવસોથી બંધ હતું. આ તકનો ફાયદો ઉઠાવીને ચોરોએ ઘરનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડ રકમ તથા સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

એકનાથ ખડસેનો પોલીસ પર ગુસ્સો

ઘટના બાદ એકનાથ ખડસેએ પોલીસ પર આકરા પ્રહાર કર્યા હતા. ખડસેએ ગુસ્સામાં પ્રતિક્રિયા આપતા કહ્યું, “પોલીસનો જલગાંવ જિલ્લામાં ડર રહ્યો નથી. ચોરીઓ-ધાડ વધી ગઈ છે અને પોલીસ ફક્ત હપ્તા ભેગા કરવામાં વ્યસ્ત છે. જો હું બોલું છું તો ધારાસભ્યો મારી મજાક ઉડાવે છે.”

આ સમાચાર પણ વાંચો : Cyclone Montha: બંગાળની ખાડીમાં ચક્રવાત મોંથા થયું પ્રચંડ, જાણો ક્યારે થશે લેન્ડફૉલ, આંધ્રથી ઓડિશા સુધી હાઈ એલર્ટ

રક્ષા ખડસેના પેટ્રોલ પંપ પર પણ ધાડ

આ દરમિયાન, 10 ઓક્ટોબરના રોજ મુક્તાઈનગર સ્થિત રક્ષા ઓટો ફ્યુઅલ નામના પેટ્રોલ પંપ પર બે મોટરસાયકલ પર આવેલા પાંચ ધાડપાડુઓએ કર્મચારીઓને માર માર્યો હતો અને લગભગ એક લાખ રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી.એકનાથ ખડસેના ઘરમાં ચોરી અને રક્ષા ખડસેના પેટ્રોલ પંપ પર ધાડ, આ બંને ઘટનાઓએ જલગાંવ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કર્યું છે.

Ajit Pawar Funeral: અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ યાત્રામાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ, અનેક લોકોના ઘરેણાં ગાયબ
Ajit Pawar Plane Crash Investigation: અજિત પવારનું વિમાન અચાનક કેવી રીતે પડ્યું? સંજય રાઉતનો ગંભીર સવાલ – ‘કંઈક તો ગરબડ છે’
Sunetra Pawar: સુનેત્રા પવારના ડેપ્યુટી CM પદ પર ઉદ્ધવ જૂથનો પલટવાર, ભાજપના ‘પ્લાન’નો પર્દાફાશ
Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Exit mobile version