Site icon

ત્રીજી લહેરના ભણકારા વચ્ચે ચિંતા વધી, આ દક્ષિણી રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવા લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

દેશના દક્ષિણ રાજ્ય કેરળમાં કોરોના વાયરસ મહામારીની ગતિ ધીમે ધીમે વધી રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા કેરળ સરકારને સૂચન મોકલવામાં આવ્યુ છે કે રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ રોકવા માટે લોકડાઉન લગાવવા સિવાય કોઈ વિક્લપ નથી. 

લોકડાઉન લગાવવાથી જ કોરોનાના સંક્રમણની ચેન તોડી શકાય છે. જો લોકડાઉન લગાવાય તો કેરળમાં પંદર દિવસમાં સ્થિતિ સુધરી શકે છે.

ત્રણ દિવસ પહેલા કેરળમાં પોઝિટિવિટી રેટ 15 ટકા હતો જે હવે વધીને 19 ટકા થઈ ચુકયો છે. 

ઉલેખનીય છે કે બે દિવસ અગાઉ જ કેરળમાં નાઈટ કરફ્યૂ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.  

કોરોનાની ત્રીજી લહેરને લઈને ચિંતા વધી રહી છે અને ઘણા જાણકારોનુ માનવુ છે કે, કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવી શકે છે. જેને લઈને ઘણા રાજ્યોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version