ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 29 ડિસેમ્બર 2021.
બુધવાર.
ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ મહામારીનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે.
મહારાષ્ટ્રના અહેમદનગર સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં 82 બાળકો અને સ્ટાફ કોરોનાગ્રસ્ત થયા છે.
હવે અહેમદનગર માં તમામ 27 સરકારી શાળાઓ અને છાત્રાલયોના લગભગ 3000 બાળકોનું સામૂહિક કોવિડ પરીક્ષણ કરવામાં આવશે.
એક જ શાળામાં મોટી સંખ્યામાં કેસ આવ્યા બાદ સ્થાનિક કલેક્ટરએ આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પારનેર તાલુકામાં આવેલી વિદ્યાલયના 19 વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા હતા.
