Site icon

ગુજરાતના આ જિલ્લાએ આપી ૯૮% લોકોને વેક્સીન; રસીકરણ અભિયાનમાં દેશમાં પહોંચ્યો પહેલા ક્રમે, જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

દેશમાં રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. તેવામાં હવે બનાસકાંઠા જિલ્લાએ નવો વિક્રમ સ્થાપ્યો છે. બનાસકાંઠા ૪૫ વર્ષથી વધુ આયુના ૯૮% લોકોને વેક્સીનનો પ્રથમ ડોઝ આપનાર દેશનો પહેલો જિલ્લો બની ગયો છે. બનાસકાંઠાની ૬.૧૭ લાખની વસ્તીમાંથી ૬.૦૪ લાખ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે.

જિલ્લામાં રસીકરણ માટે બે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. એક કે લોકો પોતે જ રસીકરણ કેન્દ્ર પર જઈ રસી લેતા હતા અને બીજી તરફ આરોગ્યકર્મીઓ દરેક ગામમાં ફરી લોકોને રસી મૂકી આપતા હતા. તંત્રે જણાવ્યું હતું કે હવે ૧૮ થી ૪૪ આયુવર્ગના લોકોનું રસીકરણ પણ આ જ પ્રકારે કરવામાં આવશે.

હવે ભારતમાં 2થી 18 વર્ષના બાળકો પર થશે કોરોના વેક્સીનનું ટ્રાયલ, આ રસીને મળી મંજૂરી

ઉલ્લેખનીય છે કે આ સિદ્ધિનો યસ બનાસકાંઠાના પ્રભારી સચિવ વિજય નહેરાને આપવામાં આવી રહ્યો છે. બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલે મીડિયાને જણાવ્યું કે જે દિવસથી રસીકરણ શરૂ થયું તે જ દિવસથી મહત્તમ લોકોને વેક્સીન આપવાનું અમે શરૂ કર્યું હતું. જિલ્લામાં દરરોજ સરેરાશ ૫૦થી ૫૫ હજાર રસી આપવામાં આવે છે. ગુજરાતમાં ૪૫ વર્ષથી વધુ વયના ૫૫ ટકા લોકો પ્રથમ ડોઝ પ્રથમ ડોઝ લઈ ચુક્યા છે. જયારે દેશમાં આ દર ૪૦ ટકાનો છે. તેવામાં બનાસકાંઠા જિલ્લાની આ સિદ્ધી સરાહનીય છે.

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version