Site icon News Continuous Bureau | Mumbai

અરુણાચલ પ્રદેશના પ્રાણીસંગ્રહાલયમાં વાઘણે કર્યો કર્મચારીનો શિકાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

 

ઇટાનગરના બાયોલૉજિકલ પાર્કમાં મંગળવારે બપોરે એક વાઘણે 35 વર્ષના પ્રાણીસંગ્રહાલયના કર્મચારીનો શિકાર કરી તેને ફાડી ખાધો હતો. આ કર્મચારીનું ત્યાં ને ત્યાં જ નિધન થયું હતું.

પ્રાણીસંગ્રહાલયના અધિકારી રાયા ફ્લાગોએ આ ઘટના અંગે જાણકારી આપતાં કહ્યું કે ‘’આસામના લખિમપુર જિલ્લામાં ધેકિયાજુલીમાં રહેવાવાળો પલાશ કર્માકર જ્યારે વાઘણના પાંજરા પાસે પાણીની ટાંકી સાફ કરવા ગયો ત્યારે વાઘણે તેના પર હુમલો કરી દીધો હતો. આ ઘટના મંગળવારે બપોરે અઢી વાગ્યે બની હતી. મને અન્ય એક કર્મચારીએ આવીને આ ઘટનાની જાણ કરી હતી. જ્યારે ઘટનાસ્થળે અમે એક ડૉક્ટર અને અન્ય કર્મચારીઓ સાથે પહોંચ્યો ત્યારે કર્મચારીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. તેનું મોઢું લોહીથી લથપથ હતું.’’

ઘટના અંગે વધુ જાણકારી આપતાં ફ્લાગોએ કહ્યું કે ‘’વાઘણના પાંજરામાં જવા માટે ત્રણ દરવાજા હતા અને ત્રણેય દરવાજા ખુલ્લા રહી ગયા હતા. લાગે છે કે આ જ કારણે વાઘણે બહાર આવી કર્મચારી પર હુમલો કર્યો હતો.’’

આ ઘટનામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને અપ્રાકૃતિક ઘટનાનો કેસ દાખલ કરી શબને મિશન હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યું છે. જે વાઘણે આ હુમલો કર્યો હતો તે 'ચિપ્પી' રૉયલ બંગાળ પ્રજાતિની હતી. વર્ષ 2013થી આ વાઘણ પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવી છે.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version