Site icon

ચંદ્રપુર તાડોબા વાઘ અભ્યારણમાં વધુ બે વાધોના મોત, વન વિભાગના કર્મચારીઓમાં ખળભળાટ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

15 જુન 2020 

હજુ ચાર દિવસ પહેલાં જ ચંદ્રપુર ના તાડોબા અંધારી વાઘ અભ્યારણ માંથી તળાવને કિનારે વાઘણ મૃત અવસ્થામાં મળી આવી હતી, તેના મોતનું કારણ હજી મળ્યું નથી. ત્યાં તરુણ અવસ્થામાં પગ મૂકી રહેલા દોઢથી બે વર્ષના બાળ સિંહોના મૃત્યુથી ખળભળાટ મચી ગઈ છે. તાડોબા ના ઘનઘોર જંગલોમાં બળ સિંહોના મૃત્યુ કેવી રીતે થયા? કેમ થયા? કોણે કર્યા? વગેરે સવાલો હાલ ચર્ચાઈ રહ્યા છે.

 જે તળાવ નજીક મોત થયા છે તે જ સ્થળે થોડા સમય પહેલાં કેટલાક વાંદરાઓના મોત પણ થયા છે. આથી વનવિભાગના અધિકારીઓ એ રીતે પણ તપાસ કરી રહી છે કે કદાચ તળાવનું પાણી તો દૂષિત નથી થયું ને!? જે માટે પાણીના નમૂના લઈ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે.

 દરમિયાન તાડોબા અંધારી પ્રકલ્પ વાઘ ની જાળવણી કરવા માટે ખાસ બનાવવામાં આવ્યું છે. વાઘ માટેના સંવર્ધન વિભાગમાં ચાર દિવસોમાં ત્રણ વાઘના મોત નિપજતા વનવિભાગના કર્મચારીઓ પણ ગભરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અહીં અડીને આવેલા આસપાસના ગામોમાં ખેતી કરવામાં આવે છે. આથી એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંક કોઈનો પાક ખરાબ થવાથી ગામવાસીઓએ તો વાધો ને માર્યા નથી.. હાલ આ તમામ સવાલોના જવાબ માટે ફોરેન્સીક રિપોર્ટની રાહ જોવાઇ રહી છે….

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version