Site icon

ચંદ્રપુર તાડોબા વાઘ અભ્યારણમાં વધુ બે વાધોના મોત, વન વિભાગના કર્મચારીઓમાં ખળભળાટ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

15 જુન 2020 

હજુ ચાર દિવસ પહેલાં જ ચંદ્રપુર ના તાડોબા અંધારી વાઘ અભ્યારણ માંથી તળાવને કિનારે વાઘણ મૃત અવસ્થામાં મળી આવી હતી, તેના મોતનું કારણ હજી મળ્યું નથી. ત્યાં તરુણ અવસ્થામાં પગ મૂકી રહેલા દોઢથી બે વર્ષના બાળ સિંહોના મૃત્યુથી ખળભળાટ મચી ગઈ છે. તાડોબા ના ઘનઘોર જંગલોમાં બળ સિંહોના મૃત્યુ કેવી રીતે થયા? કેમ થયા? કોણે કર્યા? વગેરે સવાલો હાલ ચર્ચાઈ રહ્યા છે.

 જે તળાવ નજીક મોત થયા છે તે જ સ્થળે થોડા સમય પહેલાં કેટલાક વાંદરાઓના મોત પણ થયા છે. આથી વનવિભાગના અધિકારીઓ એ રીતે પણ તપાસ કરી રહી છે કે કદાચ તળાવનું પાણી તો દૂષિત નથી થયું ને!? જે માટે પાણીના નમૂના લઈ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે.

 દરમિયાન તાડોબા અંધારી પ્રકલ્પ વાઘ ની જાળવણી કરવા માટે ખાસ બનાવવામાં આવ્યું છે. વાઘ માટેના સંવર્ધન વિભાગમાં ચાર દિવસોમાં ત્રણ વાઘના મોત નિપજતા વનવિભાગના કર્મચારીઓ પણ ગભરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે અહીં અડીને આવેલા આસપાસના ગામોમાં ખેતી કરવામાં આવે છે. આથી એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંક કોઈનો પાક ખરાબ થવાથી ગામવાસીઓએ તો વાધો ને માર્યા નથી.. હાલ આ તમામ સવાલોના જવાબ માટે ફોરેન્સીક રિપોર્ટની રાહ જોવાઇ રહી છે….

Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Exit mobile version