Site icon

હેં! મહારાષ્ટ્રમાં હવે રજાના દિવસે પણ સ્કૂલો ચાલુ રહેશે, આ છે કારણ… જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

બુધવાર.

શૈક્ષણિક વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે બાળકને આગામી દિવસમાં રજાના દિવસે પણ સ્કૂલમાં જઈને ભણવું પડે એવી શક્યતા નિર્માણ થઈ છે. રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે તેવો સંકેત આપ્યો છે.

કોરોનાએ છેલ્લા બે વર્ષમાં વિદ્યાર્થીઓના શિક્ષણને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. હવે વાસ્તવિક શાળાઓ શરૂ થઈ ગઈ છે પરંતુ અભ્યાસક્રમ પૂરો કરાવવો એ શિક્ષકો માટે મોટો પડકાર છે એવું બોલતા રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે રાજ્યના શિક્ષકોને શનિવાર અને રવિવારે શાળા શરૂ કરવા અને અભ્યાસક્રમ પૂરો કરી નાખવાની અપીલ કરી છે.

કર્ણાટકમાં હિજાબને લઈને રાજકરણઃ સ્કૂલ, કોલેજ આટલા દિવસ રહેશે બંધ; જાણો વિગત

 અજિત પવારે સોલાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે કોરોનાને કારણે બાળકો બે વર્ષથી શાળાએ ગયા નથી.  કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં શાળાઓ સાતસો દિવસ માટે બંધ હતી. હવે કોરોનાનો વ્યાપ ઘટી રહ્યો છે, તેથી શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે. 

અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટીતંત્રે એવા જિલ્લાઓમાં શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે જ્યાં કોરોનાનું જોખમ ઓછું થયું છે. જો કે, શાળા શરૂ થાય ત્યારે પણ વાલીઓ માટે વિદ્યાર્થીઓને શાળાએ મોકલવાનું ફરજિયાત નથી. વર્તમાન સંજોગોમાં, વાલીઓએ તેમના વિદ્યાર્થીઓને યોગ્ય જણાય તેમ તેમને શાળાએ મોકલવા જોઈએ એવી સરકારે અપીલ પણ કરી છે.

 

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version