Site icon News Continuous Bureau | Mumbai

વાહ.. નર્મદાના નીર છલકાયાં..!! પીએમ મોદી 70માં જન્મદિને કરશે સરદાર સરોવર ની પૂજા..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

16 સપ્ટેમ્બર 2020

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર છલોછલ ભરાઈ ગયું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 138 મીટર સુધી પહોંચી છે. આ સિઝનમાં પ્રથમવાર નર્મદા મહત્તમ સપાટી પર પહોંચી છે. સાથે જ પ્રશાસન ઉપરવાસથી આવનારા પાણીની આવક પર પણ નજર રાખી રહ્યું છે. હાલ સરદાર સરોવરમાં પાણી નો જીવન જથ્થો  5935 મિલિયન કયુબિક મીટર થયો છે એટલે કહી શકાય કે અંદાજે આવનારા બે વર્ષ માટે નર્મદા બંધમાંથી પાણીનો જથ્થો નહીં ખૂટે એટલો સંગ્રહ થઈ ગયો છે.

 આજથી ત્રણ વર્ષ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર 2017ના રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું, ત્યારે ડેમમાં 138.68 મીટર સુધી પાણી હતું. આવતીકાલે પણ પીએમ મોદી પોતાના 70માં જન્મદિને લોકાર્પણ ને ત્રણ વર્ષ પૂર્ણ થશે ત્યારે ડેમને 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવશે. આમ કહી શકાય કે નર્મદા ડેમ લોકાર્પણ થયા બાદ ત્રીજી વખત સંપૂર્ણ ભરાશે.. આ અવસરે મોદી માં નર્મદા ની પૂજા પણ કરશે. જેની તૈયારી ઓ થઈ ગઈ છે..

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version