Site icon News Continuous Bureau | Mumbai

વાહ.. નર્મદાના નીર છલકાયાં..!! પીએમ મોદી 70માં જન્મદિને કરશે સરદાર સરોવર ની પૂજા..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

16 સપ્ટેમ્બર 2020

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર છલોછલ ભરાઈ ગયું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 138 મીટર સુધી પહોંચી છે. આ સિઝનમાં પ્રથમવાર નર્મદા મહત્તમ સપાટી પર પહોંચી છે. સાથે જ પ્રશાસન ઉપરવાસથી આવનારા પાણીની આવક પર પણ નજર રાખી રહ્યું છે. હાલ સરદાર સરોવરમાં પાણી નો જીવન જથ્થો  5935 મિલિયન કયુબિક મીટર થયો છે એટલે કહી શકાય કે અંદાજે આવનારા બે વર્ષ માટે નર્મદા બંધમાંથી પાણીનો જથ્થો નહીં ખૂટે એટલો સંગ્રહ થઈ ગયો છે.

 આજથી ત્રણ વર્ષ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર 2017ના રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ કર્યું હતું, ત્યારે ડેમમાં 138.68 મીટર સુધી પાણી હતું. આવતીકાલે પણ પીએમ મોદી પોતાના 70માં જન્મદિને લોકાર્પણ ને ત્રણ વર્ષ પૂર્ણ થશે ત્યારે ડેમને 138.68 મીટર સુધી સંપૂર્ણ ભરવામાં આવશે. આમ કહી શકાય કે નર્મદા ડેમ લોકાર્પણ થયા બાદ ત્રીજી વખત સંપૂર્ણ ભરાશે.. આ અવસરે મોદી માં નર્મદા ની પૂજા પણ કરશે. જેની તૈયારી ઓ થઈ ગઈ છે..

Car Falls into Gorge in Mussoorie ઉત્તરાખંડ મસૂરીમાં કાર સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, ભયાનક અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત
Haridwar News પાણીની ટાંકીમાં સાપનો ડેરો, ૨૭ બચ્ચાં મળતા ફફડાટ! જુઓ વિડીયો…
Rohit Pawar Ladki Bahin Yojana।રોહિત પવારનો મોટો ધડાકો! ‘લાડકી બહેન યોજના’ ને લઈને કર્યો એવો દાવો કે સરકાર પણ ચોંકી ગઈ
Dharavi Redevelopment Master Plan। દેવેન્દ્ર ફડણવીસનો મોટો ધડાકો! આગામી ૨ વર્ષમાં બદલાઈ જશે ધારાવીનો ચહેરો, સિંગાપુર મોડલ પર થશે રીડેવલપમેન્ટ
Exit mobile version