Site icon News Continuous Bureau | Mumbai

ક્યાંક સીએમ તો ક્યાંક કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી લડી રહ્યા છે, આ છે ત્રિપુરાની પાંચ હાઈપ્રોફાઈલ સીટો

ત્રિપુરાની તમામ 60 બેઠકો માટે ગુરુવારે (16 ફેબ્રુઆરી) મતદાન થવાનું છે. આ માટે કુલ 259 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીમાં અનેક દિગ્ગજોનું ભાવિ દાવ પર છે. મુખ્યમંત્રી ડો.માનિક સાહા પોતે મેદાનમાં છે. આ ઉપરાંત ભાજપે કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિકને પણ ટિકિટ આપી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી પણ ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય ગુરુવારે વિપક્ષના ઘણા દિગ્ગજ નેતાઓના ભાવિનો નિર્ણય મતદારો કરશે. આવો જાણીએ ત્રિપુરાની પાંચ હાઈપ્રોફાઈલ સીટોનું ગણિત...

Election 2023 results : BJP set to win Tripura, Nagaland, 5th in Meghalaya

પૂર્વોત્તરના ત્રિપુરા-નાગાલેંડમાં ફરી લહેરાશે ભગવો, તો મેઘાલયમાં બનશે ત્રિશંકુ સરકાર? કોંગ્રેસના સૂપડા સાફ..

News Continuous Bureau | Mumbai

  1. ટાઉન બોર્ડોવલી: પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં આવતી આ બેઠક પરથી મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા પોતે ચૂંટણી લડી રહ્યા છે. ડૉ.સાહાની સીધી ટક્કર કોંગ્રેસ-ડાબેરી ગઠબંધનના આશિષ કુમાર સાહા સાથે છે.
  2. ચારિલમઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી જિષ્ણુદેવ વર્મા અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ-ડાબેરી ગઠબંધને અશોક દેબબર્માને જિષ્ણુદેવ સામે મેદાનમાં ઉતાર્યા છે. અશોક કોંગ્રેસના દિગ્ગજ નેતા છે.
  3. ધાનપુરઃ કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિક અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. પ્રતિમા ભૌમિક આઝાદીના 75 વર્ષ બાદ કેન્દ્રીય મંત્રીનું પદ સંભાળનાર ત્રિપુરાના પ્રથમ મહિલા છે. પ્રતિમા ભૌમિક ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી છે. તે ત્રિપુરાના પ્રથમ કેન્દ્રીય મંત્રી અને ઉત્તર પૂર્વના બીજા મહિલા કેન્દ્રીય મંત્રી છે. પ્રતિમા ત્રિપુરા પશ્ચિમથી લોકસભા સાંસદ છે.
  4. સબરૂમ: આ વખતે કમ્યુનિસ્ટ પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનએ દક્ષિણ ત્રિપુરાની સબરૂમ વિધાનસભા બેઠક પરથી જીતેન્દ્ર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. જિતેન્દ્ર સીપીઆઈએમના સૌથી વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે. જિતેન્દ્ર સામે ભારતીય જનતા પાર્ટીએ શંકર રાયને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
  5. કૈલાશહરઃ ઉનાકોટી જિલ્લામાં સ્થિત આ બેઠક પરથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બિરજીત સિંહા ચૂંટણી લડી રહ્યા છે. સિંહા સામે ભાજપે મોહમ્મદ મોબશર અલીને મેદાનમાં ઉતાર્યા છે. અલી ત્રિપુરામાં ચૂંટણી લડી રહેલા ભાજપના બે મુસ્લિમ ચહેરાઓમાંથી એક છે.

આ સમાચાર પણ વાંચો : દિવ્યાંગોને આર્થિક રીતે ટેકારૂપ બનતી ગુજરાત સરકારની “સંત સુરદાસ યોજના”

Join Our WhatsApp Channel

ત્રિપુરામાં હવે શું સમીકરણો છે?

ત્રિપુરામાં આદિવાસી સમુદાયના સૌથી વધુ મતદારો છે. તેમની સંખ્યા લગભગ 32 ટકા છે. 60 બેઠકોમાંથી 20 અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. 40 બેઠકો બિન અનામત છે. આ જ કારણ છે કે તમામ પાર્ટીઓએ આ માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. રાજ્ય બાંગ્લાદેશ સાથે સરહદ વહેંચે છે અને 65 ટકા વસ્તી બંગાળી ભાષી છે. 8% મુસ્લિમ છે. 2021 માં, બાંગ્લાદેશના દુર્ગા પંડાલોમાં ઘણી હિંસા થઈ હતી. તેની અસર ત્રિપુરામાં પણ જોવા મળી હતી. અહીં પણ અનેક જિલ્લાઓમાં તણાવની સ્થિતિ જોવા મળી હતી. ગત વખતે ભાજપ અને આઈપીએફટીએ તમામ 20 અનામત બેઠકો જીતી હતી.

Bankipur ByElection Result 2026 બાંકીપુરમાં ભાજપનો ગઢ કેવી રીતે ધરાશાયી થયો? પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
  Trump Iran Attack Decision – ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરનો મોટો હુમલો કેમ અટકાવ્યો? નિર્ણય પાછળના 4 મોટા કારણો આવ્યા સામે
E20 Petrol Protest – E20 પેટ્રોલ મુદ્દે નિતિન ગડકરી સામે યુવક કોંગ્રેસનો વિરોધ, નાગપુરમાં ઘેરાવનો પ્રયાસ
BJP Setback in National President Bastion ભાજપને મોટો ફટકો રાષ્ટ્રીય અધ્યક્ષના ગઢમાં જ પ્રશાંત કિશોરની રણનીતિ સામે કમળ કમજોર, પ્રચંડ લીડ મેળવી
Exit mobile version