ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
જમ્મુના કિશ્તવાડ જિલ્લાના છાત્રુ પેટા વિભાગમાંથી હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.
સુરક્ષા દળોને આતંકવાદીઓ પાસેથી 1 પિસ્તલ, પિસ્તલની 1 મેગઝીન, પિસ્તલના 20 રાઉન્ડ, 1 ગ્રેનેડ, વાયરલેસ સેટ અને હિઝબુલના લેટર હેડ મળ્યા છે.
બંને આતંકી કાશ્મીર ખીણના અનંતનાગમાં સક્રિય હિજબુલના આતંકીઓના સંપર્કમાં હતા. કિશ્તવાડ જિલ્લામાં સેનાના ઠેકાણાની જાણકારી હિજબુલ સુધી પહોંચાડી રહ્યા હતા.
પકડાયેલા આતંકવાદીઓની ઓળખ અશફાક કોમ તક નિવાસી પાસરકોટ અને તૌસીફ ગિરી નિવાસી અસ્કલ તરીકે થઈ છે.
ઉલ્લેખનીય છે કે અનંતનાગમાં કાર્યરત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે તેના સંબંધો અંગે 24 ઓગસ્ટના રોજ છાત્રુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
