Site icon News Continuous Bureau | Mumbai

આઘાતજનક! શું જંગલના રાજાની વસ્તી ઘટી રહી છે? છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં આટલા સિંહના થયા મોત.. જાણો વિગતે

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

પૂરા ભારતમાં સિંહોની સૌથી વધુ વસ્તી ગુજરાતમાં હોવાનું કહેવાય છે. એક તરફ ગુજરાતમાં સિંહની વસ્તી વધી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે વચ્ચે છેલ્લા બે વર્ષમાં 283 સિંહના મોત થયા હોવાનું સરકારે જાહેર કર્યું છે.

ગુજરાતમાં  હાલ 674 સિંહો વસવાટ કરી રહ્યા હોવાનું સરકારે જાહેર કર્યું છે. તે વચ્ચે છેલ્લા બે વર્ષમાં અકસ્માતથી અને કુદરતી રીતે 283 સિંહના મૃત્યુ થયાં હોવાની માહિતી બહાર આવી છે.

ગુજરાત વિધાનસભામાં વન વિભાગે આપેલા જવાબ મુજબ 31 ડિસેમ્બર, 2021ના ગીર અભયારણ્યમાં 345 અને ગીર અભ્યારણ ની બહાર 329 સિંહની વસ્તી છે, જેમાં 206 નર, 309 માદા, 29 બચ્ચા અને 130 વણઓળખાયેલા સિંહ મળીને કુલ 674 સિંહની વસ્તી છે.

છેલ્લા બે વર્ષમાં અકસ્માતથી 29 સિંહોના અને કુદરતી રીતે 254 સિંહોના મળીને કુલ 283 સિંહોના મોત થયા છે, જેમાં 142 જેટલા બચ્ચાઓનો સમાવેશ થાય છે.

ઇલેક્ટ્રિક શોક, કૂવામાં પડી જવાથી, પાણીમાં ડૂબી જવાથી અને રોડ-રેલવે એક્સિડન્ટ અકુદરતી રીતે સિંહોના મોત થયા હતા. 

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસની કારમી હાર બાદ નવજોતસિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામું, પત્રમાં લખ્યા ફક્ત આ પાંચ શબ્દો; જાણો વિગતે 

Maharashtra Politics NDA Operation મહારાષ્ટ્રમાં ફરી મોટા રાજકીય ભૂકંપના એંધાણ! ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધશે, NDA રચી રહ્યું છે નવી વ્યુહરચના
Maharashtra Monsoon Update મમહારાષ્ટ્રમાં એન્ટ્રી કર્યા બાદ ચોમાસું કેમ પડ્યું ધીમું? કોંકણમાં બ્રેક વાગતાં જ મુંબઈગરાની ચિંતા વધી, જાણો હવામાન વિભાગની આગાહી
Konkan Murder Mystery Solved દારૂના નશામાં મિત્ર બોલી ગયો અને ખૂલી ગયું ‘૫ વર્ષ જૂની હત્યા’નું રહસ્ય મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કોંકણની મર્ડર મિસ્ટ્રી
Tinder Honeytrap Case ટિન્ડર ડેટિંગ પડી ભારે, હરિયાણાના જજને હનીટ્રેપ માં ફસાવી પડાવ્યા ૫૨ લાખ રૂપિયા
Exit mobile version