Site icon News Continuous Bureau

Uddhav Thackeray: લોકસભા ચૂંટણીના પરિણામ બાદ, ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી પર જોરદાર પ્રહાર કરતા કહ્યું, મોદી જ્યાં ગયા ત્યાં ભાજપ ચૂંટણી હારી..

Uddhav Thackeray: લોકસભા ચૂંટણીનું ગઈકાલે પરિણામ આવ્યા બાદ સાંજે ઉદ્ધવ ઠાકરેએ MVA પર વિશ્વાસ આપવા લોકોનો આભાર વ્યક્ત કર્યા હતા. તેમજ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે મોદી જ્યાં ગયા ત્યાં ભાજપ ચૂંટણી હારી ગયા હતા.

Uddhav Thackeray After the results of the Lok Sabha elections, Uddhav Thackeray hit out at PM Modi and said, BJP lost elections wherever Modi went.

Uddhav Thackeray After the results of the Lok Sabha elections, Uddhav Thackeray hit out at PM Modi and said, BJP lost elections wherever Modi went.

 News Continuous Bureau | Mumbai 

Uddhav Thackeray: શિવસેના ( UBT ) ( Shivsena UBT ) ના વડા ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ સાંજે જણાવ્યું હતું કે, મહા વિકાસ અઘાડી ( MVA ) એ મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિને પાછળ છોડી દીધા બાદ અને INDIA ગઠબંધનને દેશભરમાં અણધાર્યા લાભો મેળવતા સામાન્ય માણસોએ તેમની શક્તિ બતાવી દીધી છે. લોકોનો આભાર વ્યક્ત કરતા, ઠાકરેએ નિવેદન આપતા કહ્યું હતું, જો કોઈ મર્યાદા ઓળંગે છે, તો તેની હાર અનિવાર્ય છે. 

Join Our WhatsApp Community

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમના સાથીદારો સંજય રાઉત, અનિલ દેસાઈ અને અરવિંદ સાવંત બુધવારે દિલ્હીમાં INDIA ગઠબંધનમાં ( INDIA Coalition )  હાજરી આપશે અને ગઠબંધન સરકારની રચના માટે દાવો કરવા વિનંતી કરશે અને તમામ નેતાઓ મળીને તેના વડા પ્રધાન પદનો ( Prime Minister Candidate ) ચહેરો પણ નક્કી કરશે. વિશ્વાસ છે કે ભાજપ ( BJP ) દ્વારા હેરાન કરાયેલા તમામ સ્વતંત્ર પક્ષો આ ગઠબંધનમાં જોડાશે. તેમણે વધુમાં કહ્યું કે, આ સરમુખત્યારશાહી સરકાર દેશના ઘરના દરવાજા પર ઉભી છે અને તેને હવે બહાર ધકેલી દેવી જોઈએ. 

 Uddhav Thackeray: કોંકણ પ્રદેશમાં તેમનો પક્ષ એક પણ બેઠક જીતી શક્યો ન હોવાથી નિરાશ ઠાકરે..

ચંદ્રાબાબુ નાયડુ, નીતિશ કુમાર અને મમતા બેનર્જી પણ ગઠબંધનની સાથે આવશે એવી આશા સાથે ઠાકરેએ આગળ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મશાલ પ્રગટાવવામાં આવી છે. કોંકણ પ્રદેશમાં તેમનો પક્ષ એક પણ બેઠક જીતી શક્યો ન હોવાથી નિરાશ, ઠાકરેએ કહ્યું હતું કે, અમે અપેક્ષા રાખતા હતા કે રાજ્યની તમામ 48 બેઠકો MVA  જીતશે અને કોંકણમાં પોતાની હારની સમિક્ષા કરશે. જ્યાં તેઓ નાના માર્જિનથી હારી ગયા હતા. જોકે, મુંબઈ ઉત્તર-પશ્ચિમમાં, જ્યાં અમોલ કીર્તિકર શિવસેનાના રવીન્દ્ર વાયકર સામે બે વખત કાઉન્ટિંગ છતાં હારી ગયા હતા, ઠાકરેએ કહ્યું હતું કે તેઓ હવે ફરીથી ચૂંટણી માટે કોર્ટમાં જશે. 

આ સમાચાર પણ વાંચો: Share market Updates : જોરદાર કડાકા બાદ શેરબજાર સુધર્યું; ઉછાળા સાથે ખુલ્યું માર્કેટ..

તેમજ મોદી આ ચૂંટણીમાં ( Lok Sabha Election Results ) જ્યાં જ્યાં ગયા, ત્યાં ત્યાં ભાજપ ચૂંટણી હારી. તેઓએ મારી પાસેથી બધું જ છીનવી લીધું, છતાં પણ હું મજબૂતીથી ઊભો રહ્યો. શાસક પક્ષની ઘણી ટીકાઓ પછી હું ક્યારેય ડર્યો નહીં. જેમ કે પીએમ મોદી ( Narendra Modi ) દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મેં તેમના નામ પર 2019 ની ચૂંટણી જીતી હતી, પરંતુ વાસ્તવમાં મોદીએ એ સમયે  મહારાષ્ટ્રમાં મારા પિતાના ફોટાનો ઉપયોગ કરીને પ્રચાર કર્યો હતો અને જીત હાંસલ કરી હતી.

 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ: ઈરાન-અમેરિકા તણાવની સીધી અસર, જાણો મુંબઈ-અમદાવાદ સહિતના શહેરોના લેટેસ્ટ ભાવ
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
US Blockade on Iranian Ports: ટ્રમ્પનો પ્લાન: ઈરાનના આ 4 વ્યૂહાત્મક સ્થળો પર અમેરિકા કરશે નાકાબંધી, યુદ્ધના જોખમ વચ્ચે મોટું પગલું.
Exit mobile version