Site icon News Continuous Bureau | Mumbai

Uddhav Thackeray Hospitalized: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયત બગડી, હોસ્પિટલમાં કરાયા દાખલ.. જાણો શું થયું છે તેમને ??

Uddhav Thackeray Hospitalized: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શિવસેના યુબીટી ચીફની દશેરા રેલીથી તબિયત સારી નહોતી. આ પછી, આજે તેમને ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તપાસ બાદ જાણવા મળ્યું કે તેના હૃદયમાં બ્લોકેજ છે.

Uddhav Thackeray Hospitalized Former Maharashtra CM Uddhav Thackeray hospitalized in Mumbai’s Reliance Hospital

Uddhav Thackeray Hospitalized Former Maharashtra CM Uddhav Thackeray hospitalized in Mumbai’s Reliance Hospital

News Continuous Bureau | Mumbai

Uddhav Thackeray Hospitalized: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી નથી.  શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયત બગડતાં તેમને મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે તેમની પત્ની રશ્મિ ઠાકરે પણ હાજર હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ ઠાકરેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

Join Our WhatsApp Channel

Uddhav Thackeray Hospitalized આવતીકાલે અથવા પરમ દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરે વધુ એક દિવસ હોસ્પિટલમાં રહી શકે છે. તેમને મંગળવારે સાંજે અથવા બુધવારે રજા આપી શકાય છે. એન્જીયોપ્લાસ્ટી બાદ ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી હોવાનું કહેવાય છે.

Uddhav Thackeray Hospitalized ડોક્ટરોએ શું કહ્યું  

ડોક્ટરોની ટીમનું કહેવું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી. ઉદ્ધવ ઠાકરે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશે. આવી સ્થિતિમાં તેમના સમર્થકોનું કહેવું છે કે સારવાર બાદ તેઓ મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર શરૂ કરશે.

Uddhav Thackeray Hospitalized:પહેલા પણ થઈ ચૂકી છે એન્જીયોપ્લાસ્ટી 

આ પહેલા પણ વર્ષ 2014માં ઉદ્ધવ ઠાકરેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઉદ્ધવ ઠાકરેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જ્યારે ડોકટરોએ તેના હૃદયની ત્રણ મુખ્ય ધમનીઓમાં બ્લોકેજ દૂર કરવા માટે 8 સ્ટેન્ટ નાખ્યા હતા.

આ સમાચાર પણ વાંચો:  Uddhav Thackeray Raj Thackeray: ઉદ્ધવ ઠાકરેની ગાડી પર ગાયનું ગોબર અને નાળિયેર ફેંકવામાં આવ્યા.. રાજ ઠાકરેએ વિડીયો કોલ લગાડ્યો..

Uddhav Thackeray Hospitalized: એન્જીયોપ્લાસ્ટી શું છે?

હૃદયની ધમનીઓના રોગમાં ધમનીઓ સાંકડી થઈ જાય છે આથી લોહી વહેવામાં અને તેને હૃદય સુધી પહોંચવામાં અવરોધ પેદા થતાં હૃદયને લોહી મળતું અટકી જાય છે. એન્જિયોપ્લાસ્ટી વડે રૂંધાયેલી નળીઓ ખોલીને તેને વધારે લોહી પહોંચતુ કરી શકાય છે. એન્જિયોપ્લાસ્ટી એ બીમાર હૃદયને નવપલ્લવિત કરતી ચમત્કારિક  ’પ્રોસિજર’ છે. આ ઓપરેશનમાં 30 થી 60 મિનિટનો સમય લાગે છે અને 90 થી 95 ટકા દર્દીઓમાં શસ્ત્રક્રિયાની જરૂરીયાતને દૂર કરે છે. 

Voter List 2026 Maharashtra મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? ૩૧ ઓગસ્ટે પ્રસિદ્ધ થશે નવી યાદી, આ રીતે કરો ઓનલાઇન તપાસ
IITGN Bajaj Auto Foundation Partnership એન્જિનિયરિંગ ક્ષેત્રે મહિલાઓને પ્રોત્સાહન આપવા IIT ગાંધીનગર અને બજાજ ઓટો ફાઉન્ડેશન વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી
Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Exit mobile version