Site icon News Continuous Bureau | Mumbai

‘હું જ જવાબદાર’ મહારાષ્ટ્ર સરકારના આ અભિયાન અંતર્ગત હવે આ નવા નિયંત્રણો આવ્યા છે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

21 ફેબ્રુઆરી 2021

સમગ્ર દેશમાં કોરોના ના કેસ માં ઉછાળો આવ્યો છે જેમાં મહારાષ્ટ્ર નોંધપાત્ર ફાળો છે. મહારાષ્ટ્ર અને કેરળ ની પરિસ્થિતિ સમગ્ર દેશમાં સૌથી ખરાબ છે.આ વાતને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર સરકારે રવિવારના દિવસથી અનેક નિયંત્રણો લાગુ કર્યા છે. આ નિયંત્રણો નીચે મુજબ છે.

મહારાષ્ટ્ર સરકારે 'હું જ જવાબદાર' આ વાક્ય હેઠળ નવી ઝુંબેશ શરૂ કરી છે જેમાં માસ્ક પહેરવું, હાથ ધોવા અને સુરક્ષિત અંતર રાખવું આ ત્રણ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં હવે કોઈ પણ પ્રકારનો રાજનૈતિક કાર્યક્રમ, સામાજિક કાર્યક્રમ, ધાર્મિક કાર્યક્રમ કે પછી વિરોધ પ્રદર્શન તેમજ યાત્રાઓ નહીં થઈ શકે.

પુણે, અમરાવતી અને નાસિકમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.

પૂના શહેરમાં શાળા અને કોલેજોને બંધ રાખવાનું ફરમાન જાહેર કરાયું છે.

હવે આગામી બે અઠવાડિયા મહત્વના છે. જો એ સમય દરમ્યાન કોરોના કાબૂમાં નહીં આવે તો મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગુ કરવાનો વિચાર થઇ શકે છે.

Anant Ambani Rescues Youth ૫ વર્ષથી તળાવમાં રહેવા મજબૂર હતો યુવક, અનંત અંબાણીએ કર્યું કંઈક એવું કે સૌ કોઈ કરી રહ્યા છે વખાણ
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Gujarat Maritime Tourism ગુજરાતમાં મેરિટાઈમ ટુરિઝમ નવી ઊંચાઈએ, રાજ્યના ૧૭ લાઇટહાઉસ આધુનિક પ્રવાસન સુવિધાઓ સાથે પ્રવાસીઓને આકર્ષવા માટે સજ્જ
Patan Charanka Solar Park પાટણના ચારણકા સોલાર પાર્કે ભારતની હરિત ઊર્જા ક્રાંતિમાં વરદાનરૂપ ભૂમિકા ભજવી, ગુજરાત બન્યું રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી
Exit mobile version