News Continuous Bureau | Mumbai

Yuva Sangam: ત્રીજા તબક્કા હેઠળ યુવા સંગમ કાર્યક્રમ’માં ગુજરાતનાં IIITના ૪૨ વિદ્યાર્થીઓએ બિહારની સંસ્કૃતિ, પરંપરા, પ્રૌદ્યોગિકી, પ્રગતિ જાણવા અનોખો પ્રયાસ

Yuva Sangam: ૬ દિવસીય પ્રવાસ થકી બિહારની વિવિધ સ્થળોની મુલાકાત લીધી.

News Continuous Bureau | Mumbai  

Yuva Sangam: ભારત સરકારના ( Indian Government ) એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ભારતના તમામ રાજ્યોમાં ચાલી રહેલ ‘યુવા સંગમ કાર્યક્રમ’માં તા.૧૬ થી ૨૧મી  ડિસેમ્બર દરમિયાન ગુજરાતભરમાંથી ( Gujarat ) ૪૨ યુવાઓની ( youth ) ટીમ બિહારની ( Bihar ) સંસ્કૃતિ ( Culture ) , પરંપરા, પ્રૌદ્યોગિકી, પ્રગતિ જાણવા પરસ્પર સંપર્ક માટે ગુજરાત અને બિહાર વચ્ચે યુવા સંગમ માટે બિહારના પ્રવાશે ગયા હતા. પ્રવાસ દરમિયાન બિહારના રાજ્યપાલશ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર ( Rajendra Vishwanath Arlekar ) સાથે પણ પરસ્પર સંવાદ કરી બિહારની સમસ્યા અને સંસ્કૃતિ વિશે સંવાદ કર્યો હતો. આ ૬ દિવસીય મુલાકાતમાં ગુજરાતના યુવાઓએ બિહારના વિવિધ જિલ્લામાં ત્યાંના ભવ્ય વારસાની મુલાકાત લઇ માહિતી મેળવી ગુજરાતમાં આવી બિહારની સંસ્કૃતિનો પ્રસાર અને પ્રચાર કરવાની પ્રતિજ્ઞા કરી હતી.  

Join Our WhatsApp Channel

           આ મુલાકાતમાં ગુજરાતના પ્રતિનિધિઓએ શિક્ષણ અને નવીનતાની નવી ક્ષિતિજોને જાણવાનો પ્રયાસ કર્યો હતો. આઇસ-બ્રેકિંગ પ્રવૃત્તિઓ શામેલ છે. વધુમાં જીવિકા ઇન્ડસ્ટ્રીની મુલાકાત સહિત આકર્ષક પ્રવૃત્તિઓની શ્રેણી શરૂ કરવામાં આવી હતી. બિહારની સમૃદ્ધ સાંસ્કૃતિક ટેપેસ્ટ્રીનું અન્વેષણ કરતા, પ્રતિનિધિઓએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ મહાબોધિ મંદિર, ભવ્ય ૮૦ ફીટની બુદ્ધ પ્રતિમા અને ગયામાં પ્રેરણાદાયી ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીની મુલાકાત લીધી હતી.

Under the third phase, 42 students of IIIT of Gujarat made a unique attempt to know the culture, tradition, technology, progress of Bihar in Yuva Sangam Program.

Under the third phase, 42 students of IIIT of Gujarat made a unique attempt to know the culture, tradition, technology, progress of Bihar in Yuva Sangam Program.

             ચોથા દિવસે પટનામાં બિહાર મ્યુઝિયમની મુલાકાત સાથે સાંસ્કૃતિક અને બૌદ્ધિક યાત્રા કરી ત્યારબાદ ઐતિહાસિક ગવર્નર હાઉસ ખાતે બિહારના ગવર્નર સાથે સમજદારીભરી વાતચીત થઈ હતી. ત્યાબાદ પાંચમા દિવસે પ્રતિનિધિઓએ બિહાર પોલીસ એકેડેમીમાં કાયદાના અમલીકરણ અને પ્રાચીન નાલંદા યુનિવર્સિટી વિષે માહિતી મેળવી હતી. તેમજ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર સાથે જ્ઞાનની આપ-લે થઇ હતી. આ પરિવર્તનની યાત્રા આઈઆઈએમ બોધગયા ખાતે એક ભવ્ય સમાપન સમારોહમાં સમાપ્ત થઈ, જ્યાં પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને વૃદ્ધિ અને ટકાઉપણુંના પ્રતીક તરીકે પ્રતીકાત્મક વૃક્ષારોપણ સમારોહ યોજાયો હતો.

આ સમાચાર પણ વાંચો : Surat: સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં રૂ.૩૧૦ કરોડના ખર્ચે નવા હોસ્પિટલ (ED-1) બ્લોક તથા નવો એજ્યુકેશન (ED-2) બ્લોક નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

          ગુજરાતથી આઈઆઈઆઈટી સુરત તરફથી મોકલેલ તમામ ૪૨ યુવાઓને આ ઐતિહાસિક યાત્રામાં શામેલ થવા માટે સંસ્થાના ડિરેક્ટરશ્રી જે.એસ.ભટે અભિનંદન પાઠવ્યા હતા.

Under the third phase, 42 students of IIIT of Gujarat made a unique attempt to know the culture, tradition, technology, progress of Bihar in Yuva Sangam Program.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version