સુરતમાં વરસેલા વરસાદના કમોસમી માવઠાનો માર, વાવાઝોડામાં ખેડૂતનો ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો.

Unseasonal rain causes crop loss for crop farmers

News Continuous Bureau | Mumbai

ગ્લોબલ વોર્મિંગ અને જંગલોનું નિકંદન માટે જવાબદાર આજનો માનવી પોતાના પગ પર જાણે કુહાડી મારી રહ્યું છે. પરિણામ સર્જાય રહ્યું છે ભર ઉનાળે પણ ચોમાસુ. પર્યાવરણના ખોરવાયેલા સંતુલનને કારણે ઋતુચક્રમાં છાસવારે પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે ગત રોજ ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. જેમાં કામરેજ તાલુકાના કેટલાક ગામડામાં કમોસમી માવઠા સહિતના વાવાઝોડાએ નુકસાન નોતર્યું હતું. જેમાં ઘલા ગામના ખેડૂત પરેશ જેરામભાઈ પટેલના સાડા ત્રણ વીંધા જેટલા કેળના પાકને ભયંકર નુકસાન થયું હતું. તેમના ખેતરમાં આવેલા આંબા પરની કાચી કેરીઓ પણ જમીન પર ટપોટપ ખરી પડી હતી. તેમના ખેતરમાં માવતરની માફક ઉછેર કરેલા કેળાની લુમ સાથેના છોડ જમીન દોસ્ત થયા હતા.

Join Our WhatsApp Community

Unseasonal rain causes crop loss for crop farmers

પરેશ પટેલના જણાવ્યા મુજબ કેળને નીઘલ પડી ગયો હતો અને આવનાર ટુંક સમયમાં જ પાક તૈયાર થવાનો હતો. ત્યાં જ ગત રોજ કમોસમી વરસાદ સહિતના વાવાઝોડાએ તેમનો મોમાં આવેલો કોળીયો ઝૂંટવી લીધો હતો.

આ સમાચાર પણ વાંચો:   આસારામ બાપુને જોધપુર હાઈકોર્ટમાંથી મળ્યા જામીન, છતાં રહેશે જેલમાં જ, જાણો શું છે કારણ…

BARC fake scientist case: BARC વૈજ્ઞાનિકનો નકલી કેસ: ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર ઝારખંડનો સાયબર કાફે માલિક ઝડપાયો
BEST: BESTના લોકાર્પણ પહેલાં જ વિવાદ: પ્રસાદ લાડના સમર્થકોએ બેનર લગાવી ગુસ્સો વ્યક્ત કર્યો
Eknath Khadse: ખડસે પરિવાર પર આફત: નેતાના બંગલામાં ચોરી, પુત્રવધૂના પેટ્રોલ પંપ પર લૂંટ; પોલીસે ગુનો નોંધ્યો
Uddhav Thackeray: દ્ધવ ઠાકરેનો અમિત શાહ પર ગંભીર પ્રહાર: ‘એનાકોન્ડા’ કહી મુંબઈને ગળી જવાનો લગાવ્યો આરોપ
Exit mobile version