Site icon News Continuous Bureau | Mumbai

UP: હલાલા અને ટ્રિપલ તલાકથી પરેશાન યુવતીએ ઈસ્લામ છોડી, અપનાવ્યો સનાતન ધર્મ, પછી કર્યું આ કામ.. જાણો શું છે આ આખો કિસ્સો…

UP: બરેલી ટ્રિપલ તલાક પીડિતા નસીમા ખાતૂન હવે મીનાક્ષી શર્મા બની ગઈ છે. નસીમાને તેના પતિએ 6 મહિના પહેલા ટ્રિપલ તલાક આપ્યા હતા. સાસરીયાઓ હલાલા માટે દબાણ કરતા હતા. જ્યારે નસીમાએ ટ્રિપલ તલાક અને હલાલાનો વિરોધ કર્યો તો તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. છ મહિના પહેલા તેણે બરેલીના એક યુવક સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી. જે બાદ તેણે આ નિર્ણય લીધો હતો.

UP Muslim woman adopts Sanatan Dharma to escape triple talaq, nikah halala in Bareilly

UP Muslim woman adopts Sanatan Dharma to escape triple talaq, nikah halala in Bareilly

News Continuous Bureau | Mumbai

 UP: ઉત્તર પ્રદેશના બરેલીમાં ટ્રિપલ તલાક ( Tripal Talaq ) પીડિતાએ હિંદુ ધર્મ અંગીકાર કર્યો છે અને બરેલી ( Bareilly ) ના એક યુવક સાથે લગ્ન કરી લીધા છે. યુવતીએ એક નિવેદનમાં કહ્યું છે કે, હવે તે નસીમા ખાતૂનમાંથી મીનાક્ષી શર્મા ( Meenakshi Sharma )  બની ગઈ છે. હું પૂર્ણિયા, બિહારની રહેવાસી છું. થોડા મહિના પહેલા મારી બરેલીના એક યુવક સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા થઈ હતી. મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને હવે તેઓએ સનાતન ધર્મ અપનાવ્યો અને હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

Join Our WhatsApp Channel

મીનાક્ષીએ વધુમાં કહ્યું હતું કે, તેના પરિવારે તેની મરજી વિરુદ્ધ મુસ્લિમ યુવક સાથે તેના લગ્ન કરાવી દીધા. લગ્ન પછી તેને સાસરિયાંમાં એક દિવસ પણ સુખ ન મળ્યું અને જ્યારે તેણે અત્યાચારનો વિરોધ કર્યો તો તેના પતિએ તેને ટ્રિપલ તલાક આપી દીધો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર નસીમા ખાતૂનને બરેલીના મનોજ શર્માના સંપર્કમાં આવી હતી.

 સોશિયલ મીડિયા દ્વારા શરૂ થયેલી વાતચીત પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી..

સોશિયલ મીડિયા દ્વારા શરૂ થયેલી વાતચીત પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી અને બંનેએ એકબીજાની લાગણીઓને સમજીને જીવન સાથે વિતાવવાનું નક્કી કર્યું હતું. તેના શૈક્ષણિક રેકોર્ડ્સ રજૂ કરતી વખતે, નસીમાએ કહ્યું કે શરૂઆતથી જ તે સનાતન ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. હાલમાં તે 22 વર્ષની છે અને પોતાના સારા-ખરાબ વિશે વિચારવા સક્ષમ છે. તેઓ કોઈપણ દબાણ કે લાલચ વગર હિંદુ ધર્મ અંગીકાર કરીને ઘર વાપસી કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Train travel time: રેલવેનો મોટો નિર્ણય, હવે મુંબઈથી આ રુટ પર વંદે ભારત અને શતાબ્દી ક્લાસ ટ્રેન 160 kmphની ગતિએ દોડશે, પ્રવાસીઓ 30 મિનિટ વહેલા પહોંચશે…

ધર્મ પરિવર્તન બાદ નસીમાએ બરેલીના અગસ્ત્ય મુનિ આશ્રમમાં હિંદુ રીતિ-રિવાજ મુજબ સાત ફેરા લીધા હતા. નસીમામાંથી મીનાક્ષા શર્મા બનેલી યુવતીએ એસએસપી બરેલીને પત્ર મોકલીને જણાવ્યું હતું કે તેના પરિવારના સભ્યો તેના હિંદુ ધર્મમાં પાછા ફરવા અને આ લગ્નથી ખુશ નથી અને તેઓ તેના અને તેના સાસરિયાઓના જીવના દુશ્મન બની ગયા છે. ઓનર કિલિંગનો ડર વ્યક્ત કરીને તેણે પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે.

નોંધનીય છે કે, થોડા મહિનાઓમાં જ બરેલીમાં ડઝનેક મુસ્લિમ છોકરીઓએ ટ્રિપલ તલાક અને હલાલા જેવા દુષણોને કારણે ઈસ્લામ સાથેના સંબંધો તોડી નાખ્યા છે અને સનાતન ધર્મ અપનાવ્યો છે અને આ સિલસિલો ચાલુ જ જોવા મળી રહ્યો છે.

US Nuclear Strategy રશિયાચીન સાથે વધતો તણાવ કે અન્ય કારણ? અમેરિકા કેમ બદલી રહ્યું છે પોતાની પરમાણુ નીતિ
Middle East War August US Iran Conflict મિડલ ઈસ્ટ માટે અત્યંત નિર્ણાયક બનશે આ મહિનો, ઓગસ્ટમાં ઈરાનઅમેરિકા મહાયુદ્ધનો આવશે અંત?
Islamic NATO Announcement મક્કામાં રચાયું ‘ઈસ્લામિક નાટો’, પાકિસ્તાનનું પરમાણુ કવચ હવે આ દેશોને પણ મળશે! ત્રણ મુસ્લિમ દેશોની ‘ત્રિપુટી’ એ સહી કર્યા દસ્તાવેજ!
RBI Sovereign Gold Bond Redemption Price ગોલ્ડ બોન્ડ રોકાણકારોની બલ્લેબલ્લે! RBI આપશે આટલા ટકા સુધીનું જબરદસ્ત વળતર!
Exit mobile version