Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશ સરકારના આ પ્રધાને લીધી ‘ભીષ્મપ્રતિજ્ઞા’;કહ્યું :જ્યાં સધી કોરોનાનો અંત નહીં આવે ત્યાં સુધી અન્ન ગ્રહણ નહીં કરું, જાણો વિચિત્ર કિસ્સો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશ સરકારમાં નગર વિકાસ રાજ્યકક્ષાના પ્રધાન મહેશ ગુપ્તાએ ભીષ્મ પ્રતિજ્ઞાલીધી હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી દેશ-દુનિયામાંથી કોરોનાનો અંત નહિ આવે ત્યાં સુધી તે અન્ન ગ્રહણ નહીં કરે. આ ઉપરાંત પ્રધાને દાવો કર્યો છે કે તેમણે છેલ્લાં પાંચ વર્ષથી અન્ન ગ્રહણ કર્યું નથી. આતંકવાદને રોકવા માટે તેમણે આ પગલું લીધું હોવાનું મીડિયાને જણાવ્યું હતું.

ગુપ્તાએ કહ્યું હતું કે તેમના ઉપવાસને પ્રતાપે જ આજે ભારતમાં આતંક અંતિમ શ્વાસ લઈ રહ્યો છે અને તેની કમર તૂટી છે. આ ઉપરાંત તેમણે નરેન્દ્ર મોદીને વિશ્વના નાયક પણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે મોદીએ બ્રાઝિલને સંજીવની આપી છે. રાજ્યના મુખ્ય પ્રધાનનાં વખાણ કરતાં તેમણે કહ્યું હતું કે અમારા મુખ્ય પ્રધાન કોરોનાની બીજી લહેર દરમિયાન પોતે સંક્રમિત થયા હતા, છતાં તેમણે સતત પ્રદેશમાં મુલાકાતો કરી હતી.

કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું- તેઓ ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે તૈયાર છે

ઉલ્લેખનીય છે કે પ્રધાનના આ નિવેદન બાદ હવે લોકો તેમના આ દાવાની હાંસી ઉડાવી રહ્યા છે. અધૂરામાં પૂરું ઉત્તર પ્રદેશ વિકરાળ થઈ ચૂકેલી કોરોનાની બીજી લહેર ઓસરી રહી હોવાનો શ્રેય પણ પોતાને આપતાં કહ્યું હતું કે આ તેમની જ તપસ્યાનું ફળ છે.

TMC Plea Disqualification MPs ૨૦ બાગી સાંસદો સામે કાર્યવાહી કેમ નહીં? ટીએમસી પહોંચી સુપ્રીમ કોર્ટ, આવતીકાલે થશે સુનાવણી
Maharashtra PUC fee hike મહારાષ્ટ્રમાં પીયુસી સર્ટિફિકેટ મોંઘું ટુવ્હીલર, થ્રીવ્હીલર અને કારના નવા ટેસ્ટિંગ ચાર્જિસ જાહેર..
Vande Bharat Western Ghats video જન્નત જેવું દ્રશ્ય! પશ્ચિમ ઘાટના ધુમ્મસભર્યા પર્વતોમાંથી પસાર થતી  વંદે ભારત ટ્રેનનો અદભુત વીડિયો વાયરલ, રૂંવાડા ઊભા થઈ જશે
Rahul Gandhi kiss from student પુણેમાં યોજાયેલા યુવા આઉટરીચ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીને સ્ટેજ છોડતી વખતે એક વિદ્યાર્થીગણ તરફથી અણધારી આશ્ચર્યજનક ભેટ મળી
Exit mobile version